અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા:ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ…

ગુજરાતના સુપ્રસિદ્ધ શકિતપીઠ અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025 નું આયોજન કરવામાં આવશે. જેની માટે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તેમજ આ વખતે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે.

વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ સ્ટેપમાં પોતાના વાહનનું નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકશે.

Show my Parking એપ્લિકેશન 

ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી ખાતે તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન પાર્કિંગ માટે એક એપ્લિકેશન નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એપ્લિકેશન google સ્ટોર એપમાંથી ડાઉનલોડ કરવાની રહેશે.

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

અંબાજી પાર્કિંગ એપ્લિકેશન સ્ટેપ બાય સ્ટેપ માહિતી
  • આ માટે સૌપ્રથમ પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર/ એપ સ્ટોરમાંથી “Show my Parking” એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે
  • મોબાઈલ નંબર થકી લોગ ઇન કર્યા બાદ મેઇન ડૅશ બોર્ડમાં “અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫” ઇવેન્ટ સિલેક્ટ કરવાની રહેશે.
  • ત્યારબાદ તારીખ પસંદ કરીને વાહન નંબર નાખીને પાર્કિંગ સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે.
  • આ વિગતો ભરીને “Book” પર ક્લિક કરતા તરત જ ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મેળવી શકાશે.
SHOW MY PARKING APPLICATION

https://play.google.com/store/apps/details?id=com.showmyparking

  • આ વિશેષ ઑનલાઇન વ્યવસ્થા ઊભી કરાઈ

💥બનાસકાંઠા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ 2025 ભાદરવી પૂનમ મહામેળામાં શ્રદ્ધાળુઓને વાહન પાર્કિગની કોઈપણ સમસ્યા ઉભી ના થાય તેના માટે આ વિશેષ ઑનલાઇન વ્યવસ્થા ઊભી કરાઈ છે.

💥જિલ્લા વહીવટી તંત્ર તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી ખાતે આવનાર તમામ શ્રદ્ધાળુઓને આ નિઃશુલ્ક વાહન પાર્કિંગનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

💢આ પણ વાંચો:: શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !

નિષ્કર્ષ

અહીંયા અમે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના પાર્કિંગની વ્યવસ્થા ની માહિતી આપેલ છે. આપણે ધ્યાનપૂર્વક એપ્લિકેશન અને અંબાજી ખાતેના સરકારના સૂચનો ધ્યાને લેવાના રહેશે. અમે માત્ર માહિતી આપી છે.

Leave a Comment