જાદર :મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

જાદર મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

નમસ્કાર અહીંયા આપણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદરમાં ભરાતા લોકમેળાની હકીકતલક્ષી ઐતિહાસિક અને મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ ભાદરવા મહિનાના બીજા સોમવાર થી આ લોકમેળાનો પ્રારંભ થાય છે. આ ત્રી દિવસિય મેળાની ભક્તિમય વાત અહીંયા કરવામાં આવેલી છે.

આ મંદિર ગાયોને બચાવનાર મધુવના નામ પરથી મુધણેશ્વર નામે પ્રસિદ્ધ થયું સ્વયંભૂ શિવલિંગ મૃધણેશ્વર થી ઓળખ પામી અને ભાદરવા સુદના બીજા સોમવારથી ત્રણ દિવસીય આ મેળો ઉજવવામાં આવે છે જેમાં લાખો લોકો મેળાની મજા માણતા હોય છે

જાદર ગામમાં ૬૦૦ વર્ષથી મુધ્રણેશ્વર મહાદેવના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો ભાદરવાના બીજા સોમવારથી બુધવાર સુધી ચાલે છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. મેળા દરમિયાન અહીં ચીજ-વસ્તુઓની દુકાનો પણ લાગે છે.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

મુધણેશ્વર મહાદેવ ની કથા

મુંધણેશ્વર મહાદેવ ની અહીંયા જે કથા આપવામાં આવેલી છે તે અમે અમારા પૂર્વજો, સાબરકાંઠા જિલ્લાની ઐતિહાસિક અને લોકવાયકાઓ પરથી લીધેલ છે.

જાદર મંદિરના ઇતિહાસ મુજબ ઈડર તાલુકાના દાદર ગામમાં આવેલા મુંધણેશ્વર મહાદેવ મંદિર ઘણું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.400 /500 વર્ષો અગાઉ મોગલ સામ્રાજ્યના વખતમાં મુઘલ સેના ભારતના દેવા લાયો અને મિલકતો, પ્રજાને હેરાન પરેશાન અને અત્યાચાર કરી રહ્યા હતા. તે સમયે અહીંયા ઘોર જંગલ હતું. મોગલ ક્રૂર સૈનિકો જ્યારે ગાયોની વાડીની જતા હતા તે સમયે ગાયોની રક્ષા કરવા માટે ગોવાળિયાઓએ ત્યાંના મૃધવ અને અન્ય ક્ષત્રિય બંધુઓને હાકલ કરતા આ વીરો ગાયોની રક્ષા કરવા માટે દોડી આવ્યા હતા. જેથી લશ્કરે ભાગતા ભાગતા અહીં આગ લગાવી દીધી હતી.એક જગ્યા એ નાગના રાફડા હતા. નાગદેવતા હેરાન થઈ ખીજડાના વૃક્ષ ઉપર ચડી ગયા હતા. એ પોતાનો પ્રાણ બચાવવા વાચા ફૂટી હોય તેમ ક્ષત્રિય યુવાન મૃધવને વિનંતી કરતા મૃધવે નાગદેવતા નો જીવ બચાવવા તેમને ઢાલ ઉપર લઈને ઢાલને તેના માથા ઉપર રાખીને સુરક્ષિત સ્થળે નાગદેવતા ની મૂકી દીધા હતા.

જેના કારણે નાગદેવતા પ્રસન્ન થઈને મૃધવ ને વરદાન આપ્યું હતું કે ‘ હે વીર તે મારો જીવ બચાવે છે તેથી હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પરંતુ રણ યુધ્ધ જતા પહેલા તેમ મને તારા મસ્તક ઉપર બેસાડવાનું અપશુકન કરતા તું મોગલ સેના સામે વીરગતિ પામીશ. પરંતુ તે મને જીવન આપ્યું હોવાના કારણે અને ગૌરક્ષા કાર્ય જીવ ગુમાવવાનો હોવાથી હું તને “પરમપદ” આપું છું. અને તું આ સ્થળે શિવ રૂપે સ્વયંભૂ પૂજાશો. અને તારા નામ માત્ર થી મનુષ્ય કે પશુનું ઝેર ઉતરી જશે. અહીંયા યુદ્ધ પત્યા પછી. ગાયો પોતાનું દૂધ ત્યાં વહેવડાવતી હતી. ગોવાળિયાઓ એ ઘેર દૂધ ન મળતું હોવાથી તપાસ કરી તો ત્યાં સ્વયંભૂ શિવલિંગ માલુમ પડ્યું હતું અને તે દિવસથી આજ સુધી અહીં મુંધણેશ્વર પૂજાય છે અને તેની યાદમાં ભાદરવા મહિનાના બીજા સોમવારથી શરૂ થઈને ત્રણ દિવસ સુધી ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં લાખો ભક્તો ઉપસ્થિત રહીને ધન્ય બને છે.

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

જાદર મુંધણેશ્વરમહાદેવ મંદિરે કેવી રીતે ઝેર ઉતારાય છે?

અત્યારે વૈજ્ઞાનિક યુગમાં પણ સૌને આચાર્ય થાય તેવી તે જાદરના મુંધણેશ્વર મંદિરે સર્પ દંશનો ભોગ બનેલા લોકોનું ઝેર ઉતારવામાં આવે છે. નાગ દેવતા ના વરદાન મુજબ મંદિરમાં ઘોઘા બાવજીમાં મધુવન પ્રવેશ થાય છે અને ઝેર ઉતારવાની વિધિ દરમિયાન પીડિતને લીમડાના પાન ખવડાવે છે. જો સુધી શરીરમાં 20 હોય ત્યાં સુધી લીમડો મીઠો લાગે છે અને જ્યારે વિશ પૂરેપૂરું ઉતરી જાય છે ત્યારે તેનો અસલી કડવો રસ શરૂ થઈ જાય.

જાદર ના લોકમેળા નો આનંદ

જિલ્લાના ઈડર તાલુકાના જાદરમાં ત્રી દિવસે લોકમેળો ભરાય છે. તેમાં ત્રણ દિવસ સુધી વિવિધ ખાણીપીણી ની દુકાનો, રમતો, બાળકો માટે વિવિધ જાતના રમકડા થી ત્રણ દિવસ સુધી બધા મેળાનો આનંદ માને છે. રાત્રેપણ મેળો પણ હોય છે.ભાદરવાના બીજા સોમવારે આખાય વિસ્તારના લોકો પોતાના પશુઓ માટે કે પોતાની માલમિલકતનું રક્ષણ માટે પોતાના ઘેર શ્રીફળ વધે છે.

💢આ પણ વાંચો:: શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !

સમાપન

નમસ્કાર મિત્રો ઉપરોક્ત આર્ટીકલ માં અમે મુંધણેશ્વર મેળાની વાત, તેનું ઐતિહાસિક મહત્વ, લોકવાયકા, બાળકોમાં મેળાનો આનંદ બધી જ વિગતોની વાત કરેલ છે. કોઈ જગ્યાએ ભૂલ હોય તે ્ક્ષમ્ય ગણશો અને સાચી હકીકત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.

માતાના મઢ ની વાર્તા

માતાના મઢ ની વાર્તા આ બ્લોગ પોસ્ટ ની અંદર આશાપુરા માતાજી ગુજરાત રાજ્ય કચ્છ જિલ્લા માં આવેલા આશાપુરા માતાજીના મંદિરની મઠની ઇતિહાસ આપવામાં આવેલો છે. દેશભરના ભાવિક ભક્તોમાં આશાપુરા માતાજીનું મંદિર મોટું આસ્થા નું પ્રતીક છે આવો જોઈએ માતાના મઠ ની વાર્તા

માતાના મઢની વાર્તા

આજથી લગભગ પંદરસો વર્ષ પૂર્વે દેવચંદ નામે એક મારવાડી વૈશ્ય પોતાની વણઝાર લઈને વેપાર તરીકે નીકળેલો ફરતા ફરતા તેણે સ્થાન જોયું વિપુલ પ્રમાણમાં ઘાસચારો જોયો અને પાણી સગવડ જોઈ રોકાઈ ગયો. થોડો વખત અહીં વિશ્રાંતિ લેવાના નિશ્ચયથી તે પોતાના પડાવ નાખ્યો. દેવચંદને સર્વ વાતે સુખ હતું અને પોતાના ઇષ્ટમાં શ્રધ્ધા પણ હતી. પોતાની રીતે પૂજા માટે શ્રીદેવીની સાથે રાખતો હતો.આ સમયે શારદીય નવરાત્રી ચાલતા હોય પરંતુ થોડા દિવસ રોકાઈ પૂજન કરી શકાયએ હેતુથી જ્યાં મંદિર છે ત્યાં રોકાઈ ગયો. દેવચંદ શાહને ભગવતીની કૃપાથી સર્વ પદ્રારથ પ્રાપ્ત હતા છતાં પુત્રની ખામી હતી એટલે તેમની માતાજીને પ્રાર્થના કર્યા કરતો હતો.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

દેવચંદ શાહ માટે એ ફળ પ્રાપ્ત કરવાનો સમય પાકી ગયો હોય તેમ અર્ધ રાતે મહામાયા જગદંબામાં આવીને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે “હે વત્સ! જ્યાં તારો તંબુ છે તે સ્થાન મને પરમ પ્રિય છે તેમ આ સ્થાનની અધિદેવતા પણ હું છું માટે તારે તારી મનોકામના પૂર્ણ કરવી હોય તો એ જ સ્થળે મારું દેવળ બંધાવી તૈયાર કર.

તૈયાર થયા બાદ છ માસ સુધી એના દ્વારને બંધ રાખવા જેથી મારું સર્વાંગ સંપૂર્ણ વિગ્રહ એટલે કે પ્રતિમા મંદિરમાં પ્રાગટ જોવામાં આવશે. મારા આ દિવ્ય વચનને માત્ર સ્વપન સમજી બિલકુલ શંકા ન કરીશ. પ્રાતઃકાળ જ્યારે તું ઉઠીશ એટલે થયા પાસે એક શ્રીફળ અને ચુંદડી જોવામાં આવશે તો તને તું સત્ય માનજે. અસ્તુ !!”

એમ કહી દેવી અંતરધ્યાન થઈ ગયા. દેવચંદ શાહ ઉઠીને જુએ છે તો શ્રી ભગવતીના કયા મુજબ શ્રીફળ ની ચુંદડી તેને જોવા મળ્યા એટલે તેણે શિલ્પકારોને બોલાવીને યોગ્ય મુરત કરાવી મંદિર નું કામ શરૂ કરાવ્યું.

ધીમે ધીમે મંદિર થઈ ગયું પાંચ મહિના નીકળી ગયા રોજ તેની દર્શનની આતુરતા વધતી જતી હતી એક દિવસ મંદિરમાંથી તેને મંત્રોચ્ચાર નો અવાજ આવવા લાગ્યો આજે તેને ધીરજ ખૂટી ગઈ અને તેને દ્વાર ખોલી નાખ્યા તેને હર્ષના આંસુ સાથે થોડુંક ક્ષોભ પણ થયો કારણકે તેની માની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું.

ખૂબ ક્ષમા પ્રાર્થના પણ કરી પરંતુ મા એ કહ્યું કે “હવે કંઈ ન થાય તું શાંતિ ન જાળવી શક્યો એટલે આજે હજી મારા ચરણ ભૂગર્ભમાં જ રહી ગયા છે .આ સ્થિતિ હવે જેમની તેમ રહેવાની છે તું મારો પરમ ભક્ત હોય તારી આજ દિવસ સુધી સેવાથી સંતુષ્ટ છું. અને તને થયેલા અપરાધની ક્ષમા આપું છું ત્યારે જે માંગવું હોય તે માંગી લે.” દેવચંદ વાણીયાએ પોતાને શું કમી છે તે વાત કહી અને માતાએ તેમને તથાસ્તુ કહી અંતરધ્યાન થઈ ગયા”

સમયાંતરે અનેક દાતાઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ છે.

તમને આશાપુરા માતાજી કચ્છ માતાના મઠ ની વાર્તા / કથા ગમી હોય તો ભારતના અને ગુજરાતના અન્ય શ્રદ્ધારોની શેર જરૂર કરજો

images (1)

ભગવાન મહાવીરની કથા

ભગવાન મહાવીરની કથા

પર્યુષણ પર્વ 2025 નિમિત્તે આ સુંદર બ્લોક પોસ્ટની અંદર ભગવાન મહાવીર ની કથા આપવાનો પ્રયત્ન કર્યો છે. જૈન ધર્મમાં પર્યુષણ પર્વ એ મોટું ધાર્મિક તહેવાર છે. આ તહેવાર નિમિત્તે અહીંયા ભગવાન મહાવીર ની કથા સૌને ઉપયોગી થશે.

ભગવાન મહાવીરના જન્મની કથા

ભગવાન મહાવીર એ 24 માં તીર્થંકર છે. રાજા સિદ્ધાર્થ તેમના પિતા અને ત્રિશલા તેમના માતા હતા. ભાદરવા સુદ એકમે જ્યારે ભગવાન મહાવીર માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે તેમને ચૌદ દિવ્ય સ્વપ્નોના દર્શન થયા. આ સ્વપ્નોમાં તેમણે ધવલ હાથી, શ્વેત વૃષભ, સિંહ, કમલાસના લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, સુવર્ણમય દંડ પર ફરકતી ધજા, જલપૂર્ણ કુંભ, પદ્મ સરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિર્ધૂમ અગ્નિના દર્શન થયા. આ દિવ્ય ચિન્હો દિવ્ય બાળકના આગમનના પ્રતિક હતા. માતા ત્રિશલાએ ચૈત્ર માસના શુક્લપક્ષની તેરસની તિથિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આ દિવ્ય બાળકને જન્મ આપ્યો. તેમના જન્મ થયાની સાથે જ રાજ્યમાં ધન, ધાન્ય, આશ્વર્ય અને વૈભવની સમૃદ્ધિ થઈ તેથી તેમનું નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

વર્ધમાન ‘મહાવીર’

બાળ વર્ધમાન ખૂબ જ નીડર, વીર અને પરાક્રમી હતા. એકવાર મિત્રો સાથે ઝાડ પર ચડીને ક્રીડા કરી રહ્યા હતા ત્યારે સમંગ નામના દેવ તેમની પરીક્ષા લેવા માટે વિશાળ સર્પનું રૂપ લઈને પ્રગટ થયા. જે ઝાડ પર એ લોકો બેઠા હતા એ ઝાડના થડ સાથે એ સર્પ વીંટળાઈ ગયો. સૌ બાળકો સર્પથી ભયભીત થઈને ઝાડ પરથી કૂદકો મારી ભાગી ગયા. પરંતુ બાળ વર્ધમાન એ વિશાળ સર્પને પકડીને નીચે ઉતર્યા અને સર્પ સાથે રમવા લાગ્યા. વર્ધમાનની વીરતા જોઈને સમંગ દેવ મૂળ રૂપમાં પ્રગટ થયા. ત્યારથી જ બાળ વર્ધમાન ‘મહાવીર’ નામે ઓળખાયા.

યુવાવસ્થા/તીર્થંકર

યુવાવસ્થાએ જ તેમણે સંસાર છોડીને બાર વર્ષ કઠોર તપસ્યા કરી હતી. જેમાં તેમણે કાનમાં ખીલા જેવા કાષ્ઠ શૂળ લાગવાથી માંડીને ચંડકૌશિક સર્પના દંશ જેવા ઉપસર્ગો સહન કરવા, અનેક દિવસોના લાંબા-લાંબા ઉપવાસ કરવા, જંગલી પ્રદેશના નિર્દય લોકોની વચ્ચે સમભાવથી વિહરવા જેવી વિકટ અગ્નિપરીક્ષા આપી. બાર વર્ષના અંતે અપાપા નગરી (હાલની પાવાપુરી)ની નજીક જૃંભિક ગામની બહાર ઋજુવાલુકા નામની નદીના કિનારે એક શાલવૃક્ષની નીચે ભગવાન મહાવીરને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે મહાવીર સાધક માંથી સર્વજ્ઞ તથા સર્વભાવદર્શી જિન અને તીર્થંકર બન્યા.