ધનતેરસ 2025: ધનતેરસ, ઓક્ટોબર 18 કે 19 ક્યારે છે?જાણો અહીંયા થી

ધનતેરસ 2025: ધનતેરસ, ઓક્ટોબર 18 કે 19 ક્યારે છે?જાણો અહીંયા થી

દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસ (ધનતેરસ 2025) થી શરૂ થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. તો ચાલો આ તહેવાર સાથે જોડાયેલી બધી મહત્વપૂર્ણ બાબતો જાણીએ.

ધનતેરસ 2025: ધનતેરસનો શુભ સમય અને તારીખ.

શરદપૂર્ણિમા ક્યારે છે 2025? શરદપૂનમ નો ફાયદો

પાંચ દિવસનો દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. આ દિવસ ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે (ધનતેરસ 2025) સોનું, ચાંદી અને નવા વાસણો ખરીદવાને શુભ માનવામાં આવે છે, જે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ લાવે છે. ચાલો આ દિવસના મુખ્ય પાસાઓનું અન્વેષણ કરીએ.

ધનતેરસ 2025
ધનતેરસ 2025 તારીખ અને પૂજા સમય (ધનતેરસ 2025 શુભ મુહૂર્ત)

હિન્દુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની ત્રયોદશી તિથિ ૧૮ ઓક્ટોબરના રોજ બપોરે ૧૨:૧૮ વાગ્યે શરૂ થશે. ૧૯ ઓક્ટોબરના રોજ બપોરે ૧:૫૧ વાગ્યે સમાપ્ત થશે. કેલેન્ડર મુજબ, ધનતેરસ ૧૮ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.

આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

  • પૂજા મુહૂર્ત – ધનતેરસ પર પૂજા માટેનો શુભ સમય પ્રદોષ કાલ છે, સવારે 7:16 થી 8:20 સુધી. આ સમય દરમિયાન, તમે ભગવાન ધન્વંતરીની પૂજા કરી શકો છો.
  • અભિજીત મુહૂર્ત (સોના ચાંદી ખરીદવાનો સમય ૨૦૨૫) બપોરે ૧૨:૦૧ થી ૧૨:૪૮ સુધી રહેશે. લાભ-ઉન્નતિ ચોઘડિયા મુહૂર્ત બપોરે ૧:૫૧ થી ૩:૧૮ સુધી રહેશે. પ્રદોષ કાલ (પ્રદોષ કાલ) સાંજે ૬:૧૧ થી ૮:૪૧ સુધી રહેશે. આ સમય દરમિયાન, તમે ધનતેરસ માટે ખરીદી કરી શકો છો.
પૂજા મુહૂર્ત
ધનતેરસનું મહત્વ (ધનતેરસ 2025 મહત્વ)

ધનતેરસ પર ખરીદી કરવાથી સંપત્તિમાં તેર ગણો વધારો થાય છે તેવું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સુખાકારી મળે છે, જ્યારે લક્ષ્મી અને કુબેરની પૂજા કરવાથી સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. તેથી, આ શુભ પ્રસંગે શક્ય તેટલી વધુ પૂજા કરો.

અસ્વીકરણ: આ લેખમાં ઉલ્લેખિત ઉપાયો, ફાયદા, સલાહ અને વિધાન ફક્ત સામાન્ય માહિતી માટે છે. આ લેખ આ સુવિધાની સામગ્રીને સમર્થન આપતો નથી. આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ સ્ત્રોતો, જ્યોતિષીઓ, પંચાંગ, ઉપદેશો, માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને દંતકથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ લેખને અંતિમ સત્ય અથવા દાવો ન માને અને તેમના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. આ લેખ અંધશ્રદ્ધા વિરુદ્ધ છે.

October 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

શરદપૂર્ણિમા ક્યારે છે 2025? શરદપૂનમ નો ફાયદો

શરદ પૂર્ણિમા

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.

શરદ પૂર્ણિમા 2025: તારીખ અને ચંદ્ર ઉદયનો સમય

વર્ષ ૨૦૨૫ માં, શરદ પૂર્ણિમા નું પર્વ સોમવાર, ૬ ઓક્ટોબર ના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, અશ્વિન શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ ૬ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૨૪ વાગ્યે થશે અને તેનો અંત ૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૫ વાગ્યે થશે. આ પાવન દિવસે ચંદ્ર ઉદયનો સમય સાંજે ૫:૩૧ વાગ્યે છે, જે પૂજા અને અન્ય વિધિઓ માટે મહત્ત્વપૂર્ણ છે. જોકે, આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ભદ્રા અને પંચક પણ છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે. ભદ્રા ૬ ઓક્ટોબરના રોજ બપોરે ૧૨:૨૩ વાગ્યે શરૂ થઈને રાત્રે ૧૦:૫૩ વાગ્યે સમાપ્ત થશે.

આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

ખીર ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે.

શરદ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી વિધિઓમાં ખીર ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે. ચંદ્ર દૂધ સાથે સંબંધિત હોવાથી, એવી માન્યતા છે કે આ દિવસે દૂધની વાનગીઓ, ખાસ કરીને ખીરને ખુલ્લા આકાશ નીચે ચાંદનીમાં મૂકવાથી તે અમૃત સમાન બની જાય છે અને તેમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. દેવી લક્ષ્મીને દૂધની ખીર અત્યંત પ્રિય હોવાથી, તેમને ભોગ ધરાવવામાં આવે છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી, આ સમયગાળો મહત્ત્વપૂર્ણ છે કારણ કે શનિ ગ્રહ ગુરુના નક્ષત્ર, પૂર્વા ભાદ્રપદમાં પ્રવેશ કરી રહ્યો છે. આ નક્ષત્ર પરિવર્તન અમુક રાશિઓ માટે પ્રગતિ અને નવી તકો લાવનારું સાબિત થઈ શકે છે, જ્યારે અન્ય લોકો માટે પડકારો પણ ઊભા કરી શકે છે.

શરદ પૂર્ણિમા (1)
શરદ પૂનમ નો ફાયદો શું છે?
whatsapp image 2025 10 05 at 09.22.30 4eb580eb
whatsapp image 2025 10 05 at 09.25.00 f14475fa

નૈવેધ કેમ કરવામાં આવે છે?

httpsdharmik.tech

માતા જગદંબાનું ભક્તિભાવથી પૂજન – અર્ચન કરી, નૈવેદ્ય અર્પણ કરવા જેનાથી માતા ભગવતી જગદંબા અત્યંત પ્રસન્ન થાય છે અને આપણને રક્ષા પ્રદાન કરી આપણા જીવનને સફળ બનાવે છે. માતા સૌની ઉપર કૃપા કરે

નવરાત્રી દરમિયાન કે ભારતીય સમાજની અંદર વારે તહેવાર કે વ્યક્તિગત પણ ભારતના લોકો માતાજીનું નૈવેદ્ય કરતા હોય છે. આપણે અહીંયા માતાજીને નિવેદ્ય અને તે અંતર્ગત મંત્રો. માતાજીની સ્તુતિ તથા માતાજીના નિવેદમાં શું કરવું જોઈએ તેના વિશે જાણકારી મેળવીશું?

નૈવેધ કેમ કરવામાં આવે છે?

વૈદિક સંસ્કૃતિમાં દેવી દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેમા ખાસ દિવસ, તિથિ અને તહેવારો પર દેવી દેવતાઓને વિશેષ પ્રસાદ ભોગ અર્પણ કરવામાં આવે છે, જેને નૈવેધ કહેવાય છે. નવરાત્રીમાં માતાજીને નૈવેધ ધરાવવાની પરંપરા છે. નૈવેધમાં માતાજીને લાપસી, કંસાર, શીરો, ખીર પુરી, ચણાનું શાક, રોટલી સહિત વિવિધ મિઠાઇ અને ફળફળાદિ ધરાવવામાં આવે છે.

નૈવેદ્ય ક્યાં અને ક્યારે ?
નૈવેધ

માતાની ઉપાસનામાં નૈવેદ્યનું ઘણું મહત્ત્વ છે. ભગવાન નારાયણ કહે છે કે, ‘હે પરમ વિદ્વાન દેવર્ષિ નારદ ! આ સંસાર અનાદિ છે. તેમાં જન્મ લઈને જે ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે ભલે ભયંકર સંકટમાં પડયો હોય તો પણ માતા ભગવતી તેની રક્ષા કરે છે. તેથી મનુષ્યે ભક્તિભાવથી દેવીનું પૂજન કરવું જોઈએ.’ ભગવાન નારાયણ કહે છે કે, પ્રતિપદા તિથિમાં ભગવતી જગદંબાની ગાયના ઘીથી પૂજા કરવી જોઈએ. અર્થાત્ ષોડશોપચાર પૂજન કરીને નૈવેદ્યમાં ગાયનું ઘી અર્પણ કરવું અને તે પ્રસાદી બ્રાહ્મણને આપી દેવી. આ પ્રમાણે કરવાથી મનુષ્યને રોગો થતા નથી. દ્વિતીયા (બીજ)ના દિવસે દેવી ભગવતીનું પૂજન કરી સાકરનું નૈવેદ્ય અર્પણ કરવું અને તે પ્રસાદી બ્રાહ્મણને આપવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

વાર પ્રમાણે નૈવેદ્ય

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

માતાજીની પ્રસન્ન કરવા માટેનું નૈવેદ્ય અને તેની રીત

હે મુનિવર ! હવે ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટે બીજું સાધન કહું છું તે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરીને તેની પૂજા કરવી. નૈવેદ્યમાં પાંચ પ્રકારના ખાદ્ય પદાર્થ અર્પણ કરવા. આ જ પ્રમાણે બારે મહિનાની સુદ ત્રીજના દિવસે પૂજન કરવું. વૈશાખ મહિનામાં ગોળથી બનેલા પદાર્થોનું નૈવેદ્ય ધરાવવું. જેઠ મહિનામાં મધ અર્પણ કરવું. અષાઢમાં મહુડાના રસથી બનેલા પદાર્થોના ભોગ ધરાવવા. શ્રાવણમાં દહીં, ભાદરવામાં ખાંડ, આસોમાં ખીર, કારતકમાં દૂધ, માગશમાં સુતરફેણી, પોષમાં દહીંની મલાઈ, મહા માસમાં ગાયનું ઘી અને ફાગણ માસમાં નારીયેળનો ભોગ ધરાવવો. આ પ્રમાણે બારે માસનું નૈવેદ્ય અર્પણ કરીને ભગવતીનું પૂજન કરવું જોઈએ. મંગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રિ, દુરત્યયા, મહામાયા, માતંગી, કાલી, કમળવાસિની શિવા, સહસ્ત્રચરણા અને સર્વમંગળ રૂપિણી – આ નામના બાર પદોનું ઉચ્ચારણ કરીને મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરી પૂજા કરવી. મહુડાના વૃક્ષમાં દેવેશ્વરી ભગવતી બીરાજે છે. તેથી સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે તથા પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા કરીને દેવીની સ્તુતિ કરવી.

Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

shaktipeeth-list || દુનિયામાં કઈ કઈ જગ્યાએ છે દેવીમાંના શક્તિપીઠ છે ? , જાણી લો તમામ 51 શક્તિપીઠ ના નામ, કયા સ્થિત છે ?

shaktipeeth list

દુનિયામાં કઈ કઈ જગ્યાએ છે દેવી માં ના શક્તિપીઠ : મિત્રો અત્યારે આદ્યશક્તિના નવરાત્રી નો પ્રારંભ થઈ ચૂક્યો છે આજે પ્રથમ નોરતું શરૂ થઈ ગયું છે દરેક વ્યક્તિ પોતાના માતાજીની શ્રદ્ધા અને વંદનામાં લાગી જાય છે અને ગરબાની રમઝટમાં આજથી લાગી જશે પણ દરેક માણસને માતાજીના 51 શક્તિપીઠ ના સ્થળો વિશેનું જ્ઞાન હોતું નથી. દરેક વ્યક્તિ 51 શક્તિપીઠ ની માહિતી ની જાણ હોતી નથી તો મિત્રો આજે અમે તમારા માટે માહિતી લઈને આવ્યા છીએ જેમાં માતાજીના 51 શક્તિપીઠ ના નામ તમને જાણવા મળશે.

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

જ્યારે શ્રી શંકર ભગવાન દેવીનું શરીર સાથે આકાશ માં તાંડવ કરતા હતા ત્યારે તેમના શરીરના દરેક અંગ 51 જગ્યાએ પડ્યા હતા અને આ 51 જગ્યાઓને માતાજીના 51 શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.માં પાર્વતીના શરીરના અંગો આ 51 શક્તિપીઠ ની જગ્યાએ પડેલા હતા અને ત્યાંથી જ માતાજીનું મંદિર બનાવી ત્યાં માતાજીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે. નીચે પ્રમાણે માતાજીના 51 શક્તિપીઠ ના નામ આપેલા છે.

માતાજીના 51 શક્તિપીઠ લિસ્ટ :
  • મણિકર્ણિકા ઘાટ, વારાણસી, ઉત્તર પ્રદેશ
  • માતા લલિતા દેવી શક્તિપીઠ, પ્રયાગરાજ
  • રામગીરી, ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ
  • ઉમા શક્તિપીઠ (કાત્યાયની શક્તિપીઠ), વૃંદાવન
  • દેવી પાટન મંદિર, બલરામપુર
  • હરસિદ્ધિ દેવી શક્તિપીઠ, મધ્ય પ્રદેશ
  • શોણદેવ નર્મતા શક્તિપીઠ, અમરકંટક, મધ્ય પ્રદેશ
  • નૈના દેવી મંદિર, બિલાસપુર, હિમાચલ પ્રદેશ
  • જ્વાલા જી શક્તિપીઠ, કાંગડા, હિમાચલ
  • ત્રિપુરમાલિની માતા શક્તિપીઠ, જલંધર, પંજાબ
  • મહામાયા શક્તિપીઠ, અમરનાથનું પહેલગાંવ, કાશ્મીર
  • માતા સાવિત્રીનું શક્તિપીઠ, કુરુક્ષેત્ર, હરિયાણા
  • મા ભદ્રકાલી દેવીકૂપ મંદિર, કુરુક્ષેત્ર, હરિયાણા
  • મણિબંધ શક્તિપીઠ, પુષ્કર, અજમેર
  • બિરાટ, મા અંબિકા રાજસ્થાનનું શક્તિપીઠ
  • અંબાજી મંદિર શક્તિપીઠ- ગુજરાત
  • મા ચંદ્રભાગા શક્તિપીઠ, જૂનાગઢ, ગુજરાત
  • માતાના ભ્રમરી સ્વરૂપનું શક્તિપીઠ, મહારાષ્ટ્ર
  • માતાબાદી પર્વત શિખર શક્તિપીઠ, ત્રિપુરા
  • દેવી કપાલિનીનું મંદિર, પૂર્વા મેદિનીપુર જિલ્લો, પશ્ચિમ બંગાળ
  • માતા દેવી કુમારી શક્તિપીઠ, રત્નાવલી, બંગાળ
  • માતા વિમલાનું શક્તિપીઠ, મુર્શિદાબાદ, બંગાળ
  • ભ્રામરી દેવી શક્તિપીઠ જલપાઈગુડી, બંગાળ
  • બહુલા દેવી શક્તિપીઠ- બર્ધમાન, બંગાળ
  • મંગલ ચંદ્રિકા માતા શક્તિપીઠ, વર્ધમાન, બંગાળ
  • મા મહિષ્મર્દિનીની શક્તિપીઠ, વક્રેશ્વર, પશ્ચિમ બંગાળ
  • નલહાટી શક્તિપીઠ, બીરભુમ, બંગાળ
  • ફુલારા દેવી શક્તિપીઠ, અટ્ટહાસ, પશ્ચિમ બંગાળ
  • નંદીપુર શક્તિપીઠ, પશ્ચિમ બંગાળ
  • યુગધ શક્તિપીઠ- વર્ધમાન, બંગાળ
  • કાલિકા દેવી શક્તિપીઠ, બંગાળ
  • કાંચી દેવગર્ભ શક્તિપીઠ, કાંચી, પશ્ચિમ બંગાળ
  • ભદ્રકાલી શક્તિપીઠ, તમિલનાડુ
  • શુચિ શક્તિપીઠ, કન્યાકુમારી, તમિલનાડુ
  • વિમલા દેવી શક્તિપીઠ, ઉત્કલ, ઓરિસ્સા
  • સર્વશૈલ રામેન્દ્રી શક્તિપીઠ, આંધ્રપ્રદેશ
  • શ્રીશૈલમ શક્તિપીઠ, કુર્નૂર, આંધ્ર પ્રદેશ
  • કર્ણાટક શક્તિપીઠ, કર્ણાટક
  • કામાખ્યા શક્તિપીઠ, ગુવાહાટી, આસામ
  • મિથિલા શક્તિપીઠ, ભારત નેપાળ સરહદ
  • ચત્તલ ભવાની શક્તિપીઠ, બાંગ્લાદેશ
  • સુગંધા શક્તિપીઠ, બાંગ્લાદેશ
  • જયંતિ શક્તિપીઠ, બાંગ્લાદેશ
  • શ્રીશૈલ મહાલક્ષ્મી, બાંગ્લાદેશ
  • યશોરેશ્વરી માતા શક્તિપીઠ, બાંગ્લાદેશ
  • ઇન્દ્રાક્ષી શક્તિપીઠ, શ્રીલંકા
  • ગુહેશ્વરી શક્તિપીઠ, નેપાળ
  • આદ્ય શક્તિપીઠ, નેપાળ
  • દંતકાલી શક્તિપીઠ- નેપાળ
  • મનસા શક્તિપીઠ, તિબેટ
  • હિંગુલા શક્તિપીઠ, પાકિસ્તાન

Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

માતાજીના અમુક શક્તિ પીઠ તો નેપાળ અને શ્રીલંકામાં પણ છે અને વધુમાં પાકિસ્તાનમાં પણ એક છે ઉપર જણાવેલ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે એટલે લખવામાં આવી છે. માહિતી ગમી હોય તો શેર કરશો. અમે આપને આવી ને આવી માહિતી આપતાં રહીશું

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

jay aadyashakti aarti

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી: Jay Aadyashakti Aarti pdf: Jay Aadyashakti Aarti Mp3 Download: Jay Aadyashakti Aarti video: નવરાત્રી નજીક આવી રહિ છે. માતાજીની આરાધના ના નવલા નોરતા તારીખ 15 ઓકટોબર થી શરૂ થઇ રહ્યા છે. ત્યારે નવરાત્રી મા દરરોજ સાંજે માતાજીની આરતી બોલવા માટે Jay Aadyashakti Aarti ની જરૂર પડે છે. આ પોસ્ટમા જય આદ્યાશક્તિ આરતી મૂકેલ છે જે આપને નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે.

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

નવરાત્રી મા માતાજીની પુજા અર્ચના કરવામા આવે છે. 9 દિવસ સુધી લોકો ગરમે રમે છે. નવરાત્રીમા શેરી મહોલ્લા કે ગામડામા જયા ગરબી થતી હોય ત્યા તો દરરોજ માતાજી આરતી જય આદ્યાશક્તિ આરતી ગાવામા આવે જ છે. પરંતુ દરેક ઘરે પન લોકો સાંજે માતાજીની આરતી કરી માતાજીની આરતી ગાતા હોય છે. આ પોસ્ટમા Jay Aadyashakti Aarti pdf, Jay Aadyashakti Aarti Mp3, Jay Aadyashakti Aarti video મૂકેલ છે.

Colours of Navratri 2025

જય આદ્યાશક્તિ આરતી
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રકટ્યા મા

ઓમ જ્યો જ્યો માં જગદંબે

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા .. ઓમ જ્યો જ્યો માં .......

મૈયા તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા ... ઓમ જ્યો જ્યો માં ..........

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા

ચાર ભૂજા ચૌદિશા, પ્રકટ્યા દક્ષિણમાં ઓમ જ્યો જ્યો માં ......

મૈયા પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્વોમાં .. ઓમ જ્યો જ્યો માં .......

મૈયા ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા ... ઓમ જ્યો જ્યો માં ..........

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા-સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ જ્યો જ્યો માં ......

મૈયા અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા માં સુની વર મુની વર જનમ્યા, દેવ દૈત્યોમાં ... ઓમ જ્યો જ્યો માં .......

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા ... ઓમ જ્યો જ્યો માં

મૈયા દશમી દશ અવતાર, જય વિજયા દશમી

રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા ઓમ

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ જ્યો જ્યો માં ..........

મૈયા બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારા છે તુજ મા ... ઓમ જ્યો જ્યો માં

તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં .. ઓમ જ્યો જ્યો માં .......... અ

મૈયા ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા માં ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા ... ઓમ..... પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિ એ વખાણ્યા, ગાઈ શુભ કવિતા … ઓમ જ્યો જ્યો માં

મૈયા સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે ... ઓમ જ્યો જ્યો માં.

ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ

એકમ એક સ્વરૂપ, અંતર નવ ધરશો ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો ઓમ જ્યો જ્યો માં ...

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે ... ઓમ જ્યો જ્યો માં .......

મૈયા ભાવ ન જાણું ભાવ ન જાણું નવ જાણું સેવા

વલ્ભભ ભટ્ટ ને રાખ્યા,ચરણે સુખ દેવા ઓમ જ્યો જ્યો માં .......... ...
jay aadyashakti aarti (1)

ઘરમાં પૂર્વજોના ચિત્રો મૂકવા માટે યોગ્ય સ્થાન કયું છે? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે

ઘરમાં પૂર્વજોના ચિત્રો મૂકવા માટે યોગ્ય સ્થાન કયું છે જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે

Pitro Ki Photo Lagane ki Sahi Dishaઘરમાં પૂર્વજોની તસવીર લગાવતા પહેલા, તમારે વાસ્તુશાસ્ત્રના આ નિયમો જાણવા જોઈએ…

પૂર્વજોનું ચિત્ર ક્યાં મૂકવું જોઈએ, પૂર્વજોનું ચિત્ર મૂકવાની યોગ્ય દિશા, વાસ્તુ શાસ્ત્રમાં પૂર્વજોનું ચિત્ર, પૂર્વજોનું ચિત્ર મૂકવાના નિયમો, ઘરની કઈ બાજુ પૂર્વજોનું ચિત્ર મૂકવું જોઈએ, પૂર્વજોનું ચિત્ર મૂકવા સંબંધિત વાસ્તુ ટિપ્સ, પૂર્વજોનું ચિત્ર પ્રાર્થના રૂમમાં મૂકવું જોઈએ કે નહીં, પૂર્વજોનું ચિત્ર મૂકવાની યોગ્ય જગ્યા,ની માહિતી ધાર્મિક tech ની આ પોસ્ટ માં મળશે

પૂર્વજોનો ફોટો મૂકવાની સાચી દિશા જાણો?

શ્રાદ્ધપક્ષની તિથિયા 2025 II Shraddha Paksha Tithiya 2025

💥પૂર્વજોના ચિત્રો માટે વાસ્તુ ટિપ્સ: હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, પિતૃ પક્ષ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી અમાવસ્યા સુધી રહે છે. આ સમયે, પૂર્વજોનું શ્રાદ્ધ, તર્પણ, દાન-પુણ્ય અને પિંડદાન કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને પરિવારને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. તે જ સમયે, ઘણીવાર લોકો આ સમય દરમિયાન તેમના પૂર્વજોનો ફોટો ઘરમાં લગાવીને પૂજા કરે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પૂર્વજોનો ફોટો લગાવવા માટે કેટલાક ખાસ નિયમો કહેવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જ્યારે તેમને અવગણવાથી અશુભ પરિણામો પણ મળી શકે છે. તો ચાલો જાણીએ પૂર્વજોનો ફોટો લગાવવા માટેના વાસ્તુ નિયમો…

Tirth Ayodhya History in Gujarati

દેવી-દેવતાઓની સાથે પૂર્વજોના ચિત્રો ન લગાવો

💥વાસ્તુશાસ્ત્ર કહે છે કે પૂર્વજોનું ચિત્ર ક્યારેય દેવી-દેવતાઓની મૂર્તિ કે ચિત્ર સાથે ન રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં ઉર્જાનું સંતુલન બગડી શકે છે. આ ઉપરાંત, પૂર્વજોનું ચિત્ર પણ કોઈ જીવંત વ્યક્તિના ફોટા સાથે ન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી પરિવારમાં કલહ અને અશાંતિ વધી શકે છે.

બેડરૂમ અને રસોડામાં ચિત્રો ન લગાવો

💥ઘણીવાર લોકો પોતાના પૂર્વજોના ફોટા પોતાના બેડરૂમમાં લગાવે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આવું કરવું શુભ માનવામાં આવતું નથી. પૂર્વજોના ફોટા ક્યારેય ઘરના બેડરૂમ, રસોડામાં કે મંદિરમાં ન લગાવવા જોઈએ. કારણ કે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે અને પરિવારના સભ્યોમાં તણાવ પેદા થઈ શકે છે.

પૂર્વજોના ચિત્રો લગાવવાની યોગ્ય દિશા

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

💥વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂર્વજોનું ચિત્ર હંમેશા દક્ષિણ દિશાની દિવાલ પર લગાવવું જોઈએ. દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં ફોટો લગાવવાથી પૂર્વજો ખુશ થાય છે અને ઘર અને પરિવારને તેમના આશીર્વાદ આપે છે.

દિવાલ પર ચિત્ર ન લગાવો

💥ઘણા લોકો પોતાના પૂર્વજોના ચિત્રો દિવાલ પર લટકાવતા હોય છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું ન કરવું જોઈએ. દિવાલ પર ચિત્ર લટકાવવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. તેના બદલે, પૂર્વજોનું ચિત્ર સ્વચ્છ સ્ટેન્ડ અથવા ટેબલ પર રાખવું જોઈએ. આમ કરવાથી સકારાત્મક ઉર્જા રહે છે.

સ્વચ્છતાનું ધ્યાન રાખો

💥પૂર્વજોના ચિત્રો જ્યાં રાખવામાં આવે છે ત્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો ધૂળ અને ગંદકી જમા થાય તો પૂર્વજો નાખુશ થઈ શકે છે. ઉપરાંત, ઘરમાં એક કરતાં વધુ પૂર્વજોના ચિત્રો રાખવાનું ટાળવું જોઈએ.

મુખ્ય દરવાજા પર ચિત્રો ન લગાવો

માતાના મઢ ની વાર્તા

💥ઘરના મુખ્ય દરવાજા પર પૂર્વજોની તસવીર લગાવવાનું પણ ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે જો મુખ્ય દરવાજા પર લગાવવામાં આવેલી તસવીર બહારના લોકો જુએ છે, તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે. તેથી, તસવીરને હંમેશા ઘરની અંદર શાંત અને પવિત્ર જગ્યાએ રાખો.

જાદર :મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

જાદર મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

નમસ્કાર અહીંયા આપણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદરમાં ભરાતા લોકમેળાની હકીકતલક્ષી ઐતિહાસિક અને મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ ભાદરવા મહિનાના બીજા સોમવાર થી આ લોકમેળાનો પ્રારંભ થાય છે. આ ત્રી દિવસિય મેળાની ભક્તિમય વાત અહીંયા કરવામાં આવેલી છે.

આ મંદિર ગાયોને બચાવનાર મધુવના નામ પરથી મુધણેશ્વર નામે પ્રસિદ્ધ થયું સ્વયંભૂ શિવલિંગ મૃધણેશ્વર થી ઓળખ પામી અને ભાદરવા સુદના બીજા સોમવારથી ત્રણ દિવસીય આ મેળો ઉજવવામાં આવે છે જેમાં લાખો લોકો મેળાની મજા માણતા હોય છે

જાદર ગામમાં ૬૦૦ વર્ષથી મુધ્રણેશ્વર મહાદેવના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો ભાદરવાના બીજા સોમવારથી બુધવાર સુધી ચાલે છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. મેળા દરમિયાન અહીં ચીજ-વસ્તુઓની દુકાનો પણ લાગે છે.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

મુધણેશ્વર મહાદેવ ની કથા

મુંધણેશ્વર મહાદેવ ની અહીંયા જે કથા આપવામાં આવેલી છે તે અમે અમારા પૂર્વજો, સાબરકાંઠા જિલ્લાની ઐતિહાસિક અને લોકવાયકાઓ પરથી લીધેલ છે.

જાદર મંદિરના ઇતિહાસ મુજબ ઈડર તાલુકાના દાદર ગામમાં આવેલા મુંધણેશ્વર મહાદેવ મંદિર ઘણું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.400 /500 વર્ષો અગાઉ મોગલ સામ્રાજ્યના વખતમાં મુઘલ સેના ભારતના દેવા લાયો અને મિલકતો, પ્રજાને હેરાન પરેશાન અને અત્યાચાર કરી રહ્યા હતા. તે સમયે અહીંયા ઘોર જંગલ હતું. મોગલ ક્રૂર સૈનિકો જ્યારે ગાયોની વાડીની જતા હતા તે સમયે ગાયોની રક્ષા કરવા માટે ગોવાળિયાઓએ ત્યાંના મૃધવ અને અન્ય ક્ષત્રિય બંધુઓને હાકલ કરતા આ વીરો ગાયોની રક્ષા કરવા માટે દોડી આવ્યા હતા. જેથી લશ્કરે ભાગતા ભાગતા અહીં આગ લગાવી દીધી હતી.એક જગ્યા એ નાગના રાફડા હતા. નાગદેવતા હેરાન થઈ ખીજડાના વૃક્ષ ઉપર ચડી ગયા હતા. એ પોતાનો પ્રાણ બચાવવા વાચા ફૂટી હોય તેમ ક્ષત્રિય યુવાન મૃધવને વિનંતી કરતા મૃધવે નાગદેવતા નો જીવ બચાવવા તેમને ઢાલ ઉપર લઈને ઢાલને તેના માથા ઉપર રાખીને સુરક્ષિત સ્થળે નાગદેવતા ની મૂકી દીધા હતા.

જેના કારણે નાગદેવતા પ્રસન્ન થઈને મૃધવ ને વરદાન આપ્યું હતું કે ‘ હે વીર તે મારો જીવ બચાવે છે તેથી હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પરંતુ રણ યુધ્ધ જતા પહેલા તેમ મને તારા મસ્તક ઉપર બેસાડવાનું અપશુકન કરતા તું મોગલ સેના સામે વીરગતિ પામીશ. પરંતુ તે મને જીવન આપ્યું હોવાના કારણે અને ગૌરક્ષા કાર્ય જીવ ગુમાવવાનો હોવાથી હું તને “પરમપદ” આપું છું. અને તું આ સ્થળે શિવ રૂપે સ્વયંભૂ પૂજાશો. અને તારા નામ માત્ર થી મનુષ્ય કે પશુનું ઝેર ઉતરી જશે. અહીંયા યુદ્ધ પત્યા પછી. ગાયો પોતાનું દૂધ ત્યાં વહેવડાવતી હતી. ગોવાળિયાઓ એ ઘેર દૂધ ન મળતું હોવાથી તપાસ કરી તો ત્યાં સ્વયંભૂ શિવલિંગ માલુમ પડ્યું હતું અને તે દિવસથી આજ સુધી અહીં મુંધણેશ્વર પૂજાય છે અને તેની યાદમાં ભાદરવા મહિનાના બીજા સોમવારથી શરૂ થઈને ત્રણ દિવસ સુધી ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં લાખો ભક્તો ઉપસ્થિત રહીને ધન્ય બને છે.

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

જાદર મુંધણેશ્વરમહાદેવ મંદિરે કેવી રીતે ઝેર ઉતારાય છે?

અત્યારે વૈજ્ઞાનિક યુગમાં પણ સૌને આચાર્ય થાય તેવી તે જાદરના મુંધણેશ્વર મંદિરે સર્પ દંશનો ભોગ બનેલા લોકોનું ઝેર ઉતારવામાં આવે છે. નાગ દેવતા ના વરદાન મુજબ મંદિરમાં ઘોઘા બાવજીમાં મધુવન પ્રવેશ થાય છે અને ઝેર ઉતારવાની વિધિ દરમિયાન પીડિતને લીમડાના પાન ખવડાવે છે. જો સુધી શરીરમાં 20 હોય ત્યાં સુધી લીમડો મીઠો લાગે છે અને જ્યારે વિશ પૂરેપૂરું ઉતરી જાય છે ત્યારે તેનો અસલી કડવો રસ શરૂ થઈ જાય.

જાદર ના લોકમેળા નો આનંદ

જિલ્લાના ઈડર તાલુકાના જાદરમાં ત્રી દિવસે લોકમેળો ભરાય છે. તેમાં ત્રણ દિવસ સુધી વિવિધ ખાણીપીણી ની દુકાનો, રમતો, બાળકો માટે વિવિધ જાતના રમકડા થી ત્રણ દિવસ સુધી બધા મેળાનો આનંદ માને છે. રાત્રેપણ મેળો પણ હોય છે.ભાદરવાના બીજા સોમવારે આખાય વિસ્તારના લોકો પોતાના પશુઓ માટે કે પોતાની માલમિલકતનું રક્ષણ માટે પોતાના ઘેર શ્રીફળ વધે છે.

💢આ પણ વાંચો:: શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !

સમાપન

નમસ્કાર મિત્રો ઉપરોક્ત આર્ટીકલ માં અમે મુંધણેશ્વર મેળાની વાત, તેનું ઐતિહાસિક મહત્વ, લોકવાયકા, બાળકોમાં મેળાનો આનંદ બધી જ વિગતોની વાત કરેલ છે. કોઈ જગ્યાએ ભૂલ હોય તે ્ક્ષમ્ય ગણશો અને સાચી હકીકત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.

શું તમે અંબાજી ભાદરવી પૂનમ નું મહત્વ જાણો છો?

img 20230928 083319 copy 1024x637

શું અંબાજીમાં ભાદરવી પૂનમનું મહત્વ 1841થી છે|| જાણો અંબાજી ભાદરવી પૂનમ નો મેળો અને તેનું મહત્વ

Ambaji Bhadarvi Poonam : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનું ખાસ મહત્વ છે. 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત છે. એટલું સંઘ અને તેમાં જ નહીં, યાત્રાળુ પગપાળા જતા યાત્રિકોની સંખ્યામાં અપ્રતિમ વધારો થયો છે. અંબાજીમાં પૂનમના સમયે 25 લાખથી વધુ યાત્રિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અંબાજીમાં ભાદરવી પૂનમનું મહત્વ 1841થી છે

Ganesh chaturthi 2025

ભાદરવી પૂનમOની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંહ રાયકા નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યાર બાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો.

ધાર્મિક આસ્થા

ભીમસિંહને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણો 1841ની ભાદરવા સુદ 10ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઇને પગપાળા સંઘની સ્થાપના કરી હતી. પરંપરા આજે દેશવ્યાપી બની ચૂકી છે.

અંબાજીનું સ્થાન

અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એ રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરવા આવનારા લોકોને એવું લાગે છે કે જાણે વાઘ પર માતાજી બેઠાં છે. વર્ષોથી માતાજીના ગોખ પાસે ધીના બે અખંડ દીવા બળે છે.

અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં તો ઘી જ જોઈએ. ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો મંદિરમાં મહારાણા માલદેવનો વિક્રમ સંવત 1415 (વર્ષ 1359)નો લેખ જોવા મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં એક સંવત 1601નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે. તે 19મી સદીના છે.

શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હતાં

એક બીજા સંવત 1779ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. એક દંતકથા મુજબ સીતાની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રુંગી ઋષિના આશ્રમે આવ્યા હતા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવાનું કહેતાં ભગવાન રામ અને લક્ષ્મણે આરાધના કરતાં દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક ખાણ આપ્યું હતું. જેનાથી રામે રાવણનો નાશ કર્યો હતો. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા અહીં ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં અંબાજી ભાદરવી પૂનમ  વિશે માહિતી  એટલે કે ભાદરવી  વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

શું અંબાજીમાં ભાદરવી પૂનમનું મહત્વ 1841થી છે|| જાણો અંબાજી ભાદરવી પૂનમ નો મેળો અને તેનું મહત્વ