Happy Karwa Chauth 2025 Shayari

happy karwa chauth 2025 shayari

आए तो संग लाए खुशियां हजार
हर साल मनाएं हम करवा चौथ का ये त्योहार
भर दे हमारा दामन खुशियों के साथ
दे जाए तुम्हें उम्र हजार साल।

:પતિ, પત્ની, ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ માટે રોમેન્ટિક અને હૃદયસ્પર્શી કરવા ચોથ શાયરી અહીંયા આપવામાં આવી છે.

Happy Karwa Chauth 2025 Shayari :કરવા ચોથ એ પ્રેમ, વિશ્વાસ અને બંધનનો તહેવાર છે. પતિ-પત્ની, અથવા પ્રેમીઓ બંને માટે, આ દિવસ સમર્પણનું પ્રતીક છે. અહીં, દરેક સંબંધ માટે ખાસ કવિતાઓ વાંચો, જે પ્રેમ, અપેક્ષા અને ચાંદનીને પ્રતિબિંબિત કરે છે.

કરવા ચોથ 2025 નો તહેવાર બુધવાર, 10 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે, અને તેને પ્રેમ, શ્રદ્ધા અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે, પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પાણી વગર ઉપવાસ કરે છે અને સાંજે ચંદ્રની પૂજા કરે છે. આજકાલ, યુગલો આ દિવસે એકબીજા માટે સુંદર કવિતાઓ અને પ્રેમાળ સંદેશાઓ પણ શેર કરે છે. જો તમે પણ કરવા ચોથ પર તમારા જીવનસાથીને કંઈક ખાસ કહેવા માંગતા હો, તો અહીં પસંદ કરેલા કરવા ચોથ કવિતાઓ વાંચો જે તમારા હૃદયને સ્પર્શી જશે.

नीले नभ पर जिस तरह बिखरती है चांदनी
वैसे ही करवा चौथ का त्योहार लाए
आपके दांपत्य जीवन में रागिनी।
. जोड़ी आपकी-मेरी कभी बिखरे ना
आप और हम कभी रूठे ना
हर जन्म में एक दूजे का साथ निभाएंगे
हर घड़ी में मिलकर खुशियां मनाएंगे।
चांद की करके पूजा
करती हूं आपकी सलामती की दुआ
मेरी उम्र भी लग जाए आपको पिया
गम रहे हर पल आपसे जुदा।
happy karwa chauth 2025 shayari (1)
मेहंदी लगी है मेरे हाथों पर
और माथे पर सिंदूर लगाया है
सखी आओ कर पूजा
देख चांद भी निकल आया है।
तेरे बिना अधूरा है मेरा हर एक व्रत
करवा चौथ पर तुम हो मेरे जीवन का रत्न
चांद की रोशनी में तेरी छवि बसी हो
मेरे प्यार की कहानी हर पल सजी हो।
आए तो संग लाए खुशियां हजार
हर साल मनाएं हम करवा चौथ का ये त्योहार
भर दे हमारा दामन खुशियों के साथ
दे जाए तुम्हें उम्र हजार साल।
Happy Karwa Chauth 2025 Shayari
happy karwa chauth 2025 shayari (2)

આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

Karwa Chauth Shayari for Wife
ऐ चांद अब मैं बच्चा नहीं
कि तुझसे डर जाऊंगा
अब डराने का वक्त मेरा है
अपने वक्त पर निकल कर देख लेना
तुझसे भी सुंदर एक चांद मेरा है।
मेरी दिल की धड़कन तुझसे है
मेरे सांसों की तड़पन तुझसे है
मुझे खुद पता नहीं मेरा मुझमें क्या है।
मेरी हर चीज तुझसे है
happy karwa chauth 2025 shayari (3)
हम दोनों की जोड़ी कभी न टूटे
एक-दूसरे से कभी न रूठें
यूंहीं साथ रहकर जिंदगी बिताएं
हमारी खुशियां एक पल के लिए भी न छूटे।
चांद भी हैरान दरिया भी परेशानी में है
अक्स किस का है कि इतनी रोशनी पानी में है।
फरहत एहसास
तुमने भी लिखा होगा कितनी बार पिया पानी
तुमने भी तो छज्जे ऊपर देखा होगा पूरा चांद।
निदा फाजली
 चांद सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था
हां तुम बिल्कुल वैसी हो, जैसा मैंने सोचा था।
इक दीवार पर चांद टिका था
मैं ये समझा तुम बैठे हो।
बशीर बद्र
happy karwa chauth 2025 shayari (4)
Karwa Chauth Shayari for Girlfriend

उस के चेहरे की चमक के सामने सादा लगा
आसमां पे चांद पूरा था मगर आधा लगा।

देखा हिलाल-ए-ईद तो आया तेरा ख्याल
वो आसमां का चांद है तू मेरा चांद है।

रंग-बिरंगी चूड़ियों की खनक,
तेरे प्यार की खुशबू से भरी हर सनक।
करवा चौथ का व्रत है,
तेरे साथ हर सुख का अनुभव है।

तेरे लिए हर दिन, हर रात हो खास,
करवा चौथ पर तुम्हें मिल जाए मेरा विश्वास।
तेरे बिना ये पर्व अधूरा सा लगे,
मेरे दिल की धड़कन, तुमसे ही जुड़ जाए।

કળવા ચોથ ક્યારે છે?2025: કળવા ચોથનું કથા રૂપ જાણો

કળવા ચોથ વ્રત ની કથા

નમસ્કાર મિત્રો અહીંયા કળવા ચોથનું કથા વ્રત શું છે અને તેનું આપના સમાજમાં શું મહત્વ રહેલું છે. તથા તેની વાર્તા, કથા અહીંયા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.

નેપાળ , ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતની હિન્દુ મહિલાઓ દ્વારા ઓક્ટોબર અથવા નવેમ્બરમાં કાર્તિકાના બિક્રમ સંબત મહિનામાં ઉજવવામાં આવતો હિન્દુ તહેવાર છે.

કળવા ચોથ વ્રત 2025 ક્યારે છે?
  • આ વર્ષે આ તહેવાર શુક્રવાર, 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.
કળવા ચોથ વ્રત શા માટે કરવામાં આવે છે?

સ્ત્રીયો આ વ્રતને પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વ્રત જુદી જુદી જગ્યાએ ત્યાની પ્રચલિત માન્યતાઓને અનુરૂપ રાખવામાં આવે છે. આ માન્યતાઓમાં થોડું ગણુ અંતર હોય છે, પણ આખરે સાર તો તેનો એક જ હોય છે – પતિનું દીર્ઘ આયુષ્ય.

કરવા ચોથ એ પરિણીત મહિલાઓ માટે ખૂબ જ ખાસ દિવસ છે, જેઓ આ દિવસે તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પૂજા અને ઉપવાસ કરે છે. આ દિવસે, મહિલાઓ સુખી દામ્પત્ય જીવન માટે ખાસ શણગાર અને શણગારથી પોતાને શણગારે છે.

કળવા ચોથ વ્રત ની કથા

શરદપૂર્ણિમા ક્યારે છે 2025? શરદપૂનમ નો ફાયદો

ખૂબ સમય પહેલાની વાત છે, એક શાહુંકારના સાત છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી. બધા સાત ભાઈ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલો પ્રેમ કે પહેલા તેને જમાડતાં પછી પોતે જમતા. તેના લગ્ન પછી કરવા ચોથ પર તેમની બહેન પિયરમાં આવે છે.

સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર વ્યવસાય બંધ કરી ઘરે આવે છે તો તેમની બહેન ખૂબ જ વ્યાકુળ હતી. બધા ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા. પણ બહેને કહ્યુ કે આજે તેનુ કરવા-ચોથનુ નિર્જલ વ્રત છે. અને તે ચદ્ર જોઈને તેને અર્ધ્ય આપીને જ જમી શકે છે. હજુ સુધી ચદ્ર નીકળ્યો નથી તેથી તે ભૂખ-તરસથી વ્યાકુળ થઈ જાય છે.

સૌથી નાના ભાઈથી બહેનની હાલત ન જોવાઈ, અને તેણે દૂર પીપળાના ઝાડ પર એક દિવો સળગાવી, ચાયણીની ઓટમાં મુકી દે છે. દૂરથી જોતા એવુ લાગે છે જાણે કે ચોથનો ચદ્ર નીકળ્યો છે. ત્યારબાદ ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચદ્ર નીકળી ગયો છે, તુ તેને અર્ધ્ય આપીને ભોજન કરી શકે છે. બહેન ખુશ થઈને સીડી પર ચઢીને ચંદ્રને જુએ છે, અને તેને અર્ધ્ય આપીને જમવા બેસી જાય છે.

તે પહેલો ટુકડો મોઢામાં મુકવા જાય છે તો તેને છીંક આવી જાય છે. અને બીજો ટુકડો મુકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે.

અને જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મુકવા જાય છે ત્યાં તેને તેના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે. તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયુ. તેની ભાભીઓ તેને હકીકત જણાવે છે કે તેનું કરવા ચોથનુ વ્રત ખોટી રીતે તૂટ્યુ તેથી ઈશ્વરે નારાજ થઈને આ સજા આપી છે.

હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યુ કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહી કરે. તેને જીવતો કરીને રહેશે. તે એક વર્ષ સુધી પતિના મૃતદેહ પાસે બેસી રહે છે. તેની દેખરેખ કરે છે. તેની આસપાસ ઉગનારી ઘાસને હટાવતી જાય છે.

  • એક વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે. તેની બધી ભાભીયો કરવા ચોથનું વ્રત રાખે છે. જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી ‘યમ સૂઈ લઈ લો, પિય સૂઈ દે દો, મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો’ એવો આગ્રહ રાખે છે. પણ દરેક ભાભી તેને બીજી ભાભી જોડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે.
  • આવી રીતે જ્યાર છઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે પણ એ જ વાત કહેવાનો આગ્રહ રાખે છે. તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયો છે તો તુ તેની પત્ની પાસેથી જ આ આશીર્વાદ લે અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડીશ નહી. કરવા એવું જ કરે છે. તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવા તેને છોડતી જ નથી, આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને તેની ભાભી પોતાની નાની આંગળીને ચીરીને તેમાથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે. કરવાનો પતિ તરત જ શ્રીગણેશ-શ્રીગણેશ કહીને ઉભો થાય છે. આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે.

આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

October 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

A festival of spiritual divinity, a celebration of the splendor of tradition and folk culture :TARNETAR FAIR

a festival of spiritual divinity, a celebration of the splendor of tradition and folk culture tarnetar fair

આધ્યાત્મિક દિવ્યતાની અનુભૂતિનો ઉત્સવ,પરંપરા અને લોકસંસ્કૃતિની ભવ્યતાનો મહોત્સવ એટલે તરણેતરનો મેળો તરણેતરના મેળામાં જતા પહેલા જાણી લો ઈતિહાસ, આ છે રોચક કથા

ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. તો ચાલો જાણીએ તરણેતરનો મેળા વિશે.

Ganesh chaturthi 2025

તરણેતરનો મેળા એટલે

તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હુડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે.

તરણેતરનો મેળા ની રોચક કથા

કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર “દ્વિપકલ્પ” તરીકે ઓળખાતો હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી. એ જે ટોચનો વિસ્તાર છે તે, સૌરાષ્ટ્રનો “પાંચાળ” વિસ્તાર છે. પાંચાળનો ઘેરાવો બહુ મોટો નથી, પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટું મહત્વ છે. સ્કંદપુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુએ 1001 કમળ ચડાવવાના હતા.

મૂર્તિ ઉપર 1000 કમળ થઈ ગયા અને છેલ્લું 1 કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું જમણું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારે ભગવાન શંકર લીંગમાંથી પ્રગટ થયા અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા. આથી આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્વર પડ્યું. તેના પરથી અપભ્રંશ થતાં ગામનું નામ “તરણેતર” પડ્યું. વાયકા મુજબ, બીજી વખત કણ્વ મુનિના ભક્તિના પ્રભાવથી શિવલીંગમાંથી ભોળાનાથ પ્રકટ થયા. જેમને પાંચ મુખ, દશ ભુજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્વર મંદિરમાં સ્થાપિત છે.

માતાના મઢકથા

તરણેતરના મેળાની બીજી એક રોચક કથા/લોકવાયકા

પાંચાળ એટલે પૌરાણિક કથાઓનું ઘર. પૌરાણિક કથા અનુસાર, આ મેળો પ્રાચીનકાળથી અહીં ભરાય છે. તેની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે જોડાયેલી છે. દ્રૌપદીનો સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. આ કુંડના પાણીમાં પ્રતિબિંબ જોઈ મહાન તીરંદાજ અર્જુને માછલીની આંખ વીંધવાનું મુશ્કેલ કાર્ય માત્ર પાણીમાં તેના પ્રતિબિંબને જોઈને કર્યું હતું. આ પરાક્રમ દ્વારા દ્રૌપદીને પામીને વિવાહ કર્યા હતા. દ્રૌપદી એટલે કે પાંચાલીના નામે આ ભૂમિ “પાંચાલભૂમિ” તરીકે ઓળખાયાની લોકવાયકા પણ છે.

તરણેતરના મેળાની દંતકથા

એક દંતકથા મુજબ, પાંચ ઋષિઓએ અહીં નિવાસ કર્યો અને પોતાના આશ્રમો બનાવ્યા. જે ભૂમિને પવિત્ર માનીને પોતાનું ઘર બનાવ્યું તેવા વિસ્તારમાં અસંખ્ય દેવ-દેવતાઓના વાસ છે. ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતે બનાવેલા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીને અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કરાવ્યું હતું.

તેની પાછળનો ઉદ્દેશ કદાચ તે હોઈ શકે કે આ પાંચાળ વિસ્તારના લોકો કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં જ ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવ્યું હતું. લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે મહર્ષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, તે રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય એવું અનુમાન છે.

Rushipanchmi Vrat Katha ઋષિ પાંચમ ની વ્રત કથા

કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

Rushipanchmi Vrat Katha ઋષિ પાંચમ ની વ્રત કથા

ઋષિ પાંચમ ની વ્રત કથા

પ્રકૃતિ પૂજન અને ઋષિ પૂજન મહત્વ આ તહેવાર માં છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તિથિને ઋષિ પંચમી કહેવામાં આવે છે.

આપણે અહીંયા ઋષિ પંચમીની કથા વાર્તા દ્વારા આ તહેવારની સમજીશું

ઋષિ પંચમી વ્રત વિધિ અને કથા જુઓ

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે. જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલીવાર ન્હાય એટલા વધુ પાપ ધોવાય છે. તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ, એમ ત્રણવાર તો સ્નાન કરે જ છે. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક-શ્રદ્ધાળુને ન્હાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે.

એક પૌરાણીક કથા પણ આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે.

વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્નિ હતી.આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા. વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા.પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા.

ભગવાન મહાવીરની કથા

એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીર માં કીડા પડી ગયા. ઉત્તકે સમાધી લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવાં છતાં તે વાસણોને અડી ગઇ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઇને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું.

પિતાની આજ્ઞાનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યુ અને તેને સર્વ પાપો માંથી મુક્તિ મળી.આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થઇ. આમ વ્રત ના પ્રભાવ થી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ઋષિ પંચમીના દિવાસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવામાં આવે છે. ખડધાનમાં સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના પર્વે ખવાય છે. જેમાં દુધી, તૂરીયા, ચીભડુ, ગલકા વગરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તમામ પ્રકારના ફ્રુટ પણ ખાઇ શકાય છે. આ પર્વે કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સૂરણ કે બટાકાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ નહીં.

વસંત પંચમી વ્રત કેવી રીતે કરવું

  • । સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા
  • । ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ કરવું.
  • । તેની પર સાત ઋષિઓની સ્થાપના કરવી.
  • । ત્યાર પછી સાતેય ઋષિઓનું વિવિધ ઉપચારો વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.
  • । ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો.
  • । દિવસ દરમ્યાન માત્ર ફળાહાર ગ્રહણ કરવો.
  • । આ પ્રમાણે સાત વર્ષ વ્રત કરીને આઠમાં વર્ષે તેની પૂર્ણાહુતિ કરવી.
  • । છેલ્લે સાત બ્રાહ્મણ પતિ-પત્નિઓને ભોજન કરાવી,દક્ષિણા આપીને વિદાય કરવાં.
  • । આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.

માતાના મઢ ની વાર્તા

वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

सिद्धि-बुद्धि सहितं देवं शरणं गच्छाम्यहम्।
गणेशं विघ्नराजं च भक्तानां सुखदायकम्॥
https://dharmik.tech/ganesh-chaturthi-2025/
गणेश चतुर्थी के इस पावन अवसर पर मंगलमूर्ति श्री गणेश जी आपके जीवन से सभी विघ्न-बाधाएँ दूर करें।

श्री गणेश भगवान का आशीर्वाद आप पर सदैव।बना रहे।
आपके घर-परिवार में सुख, शांति और समृद्धि का वास हो।
और भगवान गणपति बप्पा आपकी हर मनोकामना पूर्ण करें।

માતાના મઢ ની વાર્તા

માતાના મઢ ની વાર્તા આ બ્લોગ પોસ્ટ ની અંદર આશાપુરા માતાજી ગુજરાત રાજ્ય કચ્છ જિલ્લા માં આવેલા આશાપુરા માતાજીના મંદિરની મઠની ઇતિહાસ આપવામાં આવેલો છે. દેશભરના ભાવિક ભક્તોમાં આશાપુરા માતાજીનું મંદિર મોટું આસ્થા નું પ્રતીક છે આવો જોઈએ માતાના મઠ ની વાર્તા

Images

માતાના મઢની વાર્તા

આજથી લગભગ પંદરસો વર્ષ પૂર્વે દેવચંદ નામે એક મારવાડી વૈશ્ય પોતાની વણઝાર લઈને વેપાર તરીકે નીકળેલો ફરતા ફરતા તેણે સ્થાન જોયું વિપુલ પ્રમાણમાં ઘાસચારો જોયો અને પાણી સગવડ જોઈ રોકાઈ ગયો. થોડો વખત અહીં વિશ્રાંતિ લેવાના નિશ્ચયથી તે પોતાના પડાવ નાખ્યો. દેવચંદને સર્વ વાતે સુખ હતું અને પોતાના ઇષ્ટમાં શ્રધ્ધા પણ હતી. પોતાની રીતે પૂજા માટે શ્રીદેવીની સાથે રાખતો હતો.આ સમયે શારદીય નવરાત્રી ચાલતા હોય પરંતુ થોડા દિવસ રોકાઈ પૂજન કરી શકાયએ હેતુથી જ્યાં મંદિર છે ત્યાં રોકાઈ ગયો. દેવચંદ શાહને ભગવતીની કૃપાથી સર્વ પદ્રારથ પ્રાપ્ત હતા છતાં પુત્રની ખામી હતી એટલે તેમની માતાજીને પ્રાર્થના કર્યા કરતો હતો.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

દેવચંદ શાહ માટે એ ફળ પ્રાપ્ત કરવાનો સમય પાકી ગયો હોય તેમ અર્ધ રાતે મહામાયા જગદંબામાં આવીને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે “હે વત્સ! જ્યાં તારો તંબુ છે તે સ્થાન મને પરમ પ્રિય છે તેમ આ સ્થાનની અધિદેવતા પણ હું છું માટે તારે તારી મનોકામના પૂર્ણ કરવી હોય તો એ જ સ્થળે મારું દેવળ બંધાવી તૈયાર કર.

તૈયાર થયા બાદ છ માસ સુધી એના દ્વારને બંધ રાખવા જેથી મારું સર્વાંગ સંપૂર્ણ વિગ્રહ એટલે કે પ્રતિમા મંદિરમાં પ્રાગટ જોવામાં આવશે. મારા આ દિવ્ય વચનને માત્ર સ્વપન સમજી બિલકુલ શંકા ન કરીશ. પ્રાતઃકાળ જ્યારે તું ઉઠીશ એટલે થયા પાસે એક શ્રીફળ અને ચુંદડી જોવામાં આવશે તો તને તું સત્ય માનજે. અસ્તુ !!”

એમ કહી દેવી અંતરધ્યાન થઈ ગયા. દેવચંદ શાહ ઉઠીને જુએ છે તો શ્રી ભગવતીના કયા મુજબ શ્રીફળ ની ચુંદડી તેને જોવા મળ્યા એટલે તેણે શિલ્પકારોને બોલાવીને યોગ્ય મુરત કરાવી મંદિર નું કામ શરૂ કરાવ્યું.

ધીમે ધીમે મંદિર થઈ ગયું પાંચ મહિના નીકળી ગયા રોજ તેની દર્શનની આતુરતા વધતી જતી હતી એક દિવસ મંદિરમાંથી તેને મંત્રોચ્ચાર નો અવાજ આવવા લાગ્યો આજે તેને ધીરજ ખૂટી ગઈ અને તેને દ્વાર ખોલી નાખ્યા તેને હર્ષના આંસુ સાથે થોડુંક ક્ષોભ પણ થયો કારણકે તેની માની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું.

ખૂબ ક્ષમા પ્રાર્થના પણ કરી પરંતુ મા એ કહ્યું કે “હવે કંઈ ન થાય તું શાંતિ ન જાળવી શક્યો એટલે આજે હજી મારા ચરણ ભૂગર્ભમાં જ રહી ગયા છે .આ સ્થિતિ હવે જેમની તેમ રહેવાની છે તું મારો પરમ ભક્ત હોય તારી આજ દિવસ સુધી સેવાથી સંતુષ્ટ છું. અને તને થયેલા અપરાધની ક્ષમા આપું છું ત્યારે જે માંગવું હોય તે માંગી લે.” દેવચંદ વાણીયાએ પોતાને શું કમી છે તે વાત કહી અને માતાએ તેમને તથાસ્તુ કહી અંતરધ્યાન થઈ ગયા”

સમયાંતરે અનેક દાતાઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ છે.

તમને આશાપુરા માતાજી કચ્છ માતાના મઠ ની વાર્તા / કથા ગમી હોય તો ભારતના અને ગુજરાતના અન્ય શ્રદ્ધારોની શેર જરૂર કરજો

images (1)

ભગવાન મહાવીરની કથા

ભગવાન મહાવીરની કથા

પર્યુષણ પર્વ 2025 નિમિત્તે આ સુંદર બ્લોક પોસ્ટની અંદર ભગવાન મહાવીર ની કથા આપવાનો પ્રયત્ન કર્યો છે. જૈન ધર્મમાં પર્યુષણ પર્વ એ મોટું ધાર્મિક તહેવાર છે. આ તહેવાર નિમિત્તે અહીંયા ભગવાન મહાવીર ની કથા સૌને ઉપયોગી થશે.

ભગવાન મહાવીરના જન્મની કથા

ભગવાન મહાવીર એ 24 માં તીર્થંકર છે. રાજા સિદ્ધાર્થ તેમના પિતા અને ત્રિશલા તેમના માતા હતા. ભાદરવા સુદ એકમે જ્યારે ભગવાન મહાવીર માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે તેમને ચૌદ દિવ્ય સ્વપ્નોના દર્શન થયા. આ સ્વપ્નોમાં તેમણે ધવલ હાથી, શ્વેત વૃષભ, સિંહ, કમલાસના લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, સુવર્ણમય દંડ પર ફરકતી ધજા, જલપૂર્ણ કુંભ, પદ્મ સરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિર્ધૂમ અગ્નિના દર્શન થયા. આ દિવ્ય ચિન્હો દિવ્ય બાળકના આગમનના પ્રતિક હતા. માતા ત્રિશલાએ ચૈત્ર માસના શુક્લપક્ષની તેરસની તિથિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આ દિવ્ય બાળકને જન્મ આપ્યો. તેમના જન્મ થયાની સાથે જ રાજ્યમાં ધન, ધાન્ય, આશ્વર્ય અને વૈભવની સમૃદ્ધિ થઈ તેથી તેમનું નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

વર્ધમાન ‘મહાવીર’

બાળ વર્ધમાન ખૂબ જ નીડર, વીર અને પરાક્રમી હતા. એકવાર મિત્રો સાથે ઝાડ પર ચડીને ક્રીડા કરી રહ્યા હતા ત્યારે સમંગ નામના દેવ તેમની પરીક્ષા લેવા માટે વિશાળ સર્પનું રૂપ લઈને પ્રગટ થયા. જે ઝાડ પર એ લોકો બેઠા હતા એ ઝાડના થડ સાથે એ સર્પ વીંટળાઈ ગયો. સૌ બાળકો સર્પથી ભયભીત થઈને ઝાડ પરથી કૂદકો મારી ભાગી ગયા. પરંતુ બાળ વર્ધમાન એ વિશાળ સર્પને પકડીને નીચે ઉતર્યા અને સર્પ સાથે રમવા લાગ્યા. વર્ધમાનની વીરતા જોઈને સમંગ દેવ મૂળ રૂપમાં પ્રગટ થયા. ત્યારથી જ બાળ વર્ધમાન ‘મહાવીર’ નામે ઓળખાયા.

યુવાવસ્થા/તીર્થંકર

યુવાવસ્થાએ જ તેમણે સંસાર છોડીને બાર વર્ષ કઠોર તપસ્યા કરી હતી. જેમાં તેમણે કાનમાં ખીલા જેવા કાષ્ઠ શૂળ લાગવાથી માંડીને ચંડકૌશિક સર્પના દંશ જેવા ઉપસર્ગો સહન કરવા, અનેક દિવસોના લાંબા-લાંબા ઉપવાસ કરવા, જંગલી પ્રદેશના નિર્દય લોકોની વચ્ચે સમભાવથી વિહરવા જેવી વિકટ અગ્નિપરીક્ષા આપી. બાર વર્ષના અંતે અપાપા નગરી (હાલની પાવાપુરી)ની નજીક જૃંભિક ગામની બહાર ઋજુવાલુકા નામની નદીના કિનારે એક શાલવૃક્ષની નીચે ભગવાન મહાવીરને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે મહાવીર સાધક માંથી સર્વજ્ઞ તથા સર્વભાવદર્શી જિન અને તીર્થંકર બન્યા.

Bol choth Katha

બોળચોથ પછીના બીજા દિવસે નાગપાંચમ આવે છે, તે પછી રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળ ચોથથી થાય છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો મેળો ભરાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથની વાર્તા સાંભળે છે. સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી, કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉ દળતી પણ નથી. તેમજ શાકભાજી પણ સુધારતી નથી, ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.

શું છે બોળચોથ કથા ?

👉Janmashtami Special WhatsApp DP ,ABCD alphabets, Janmashtami whatsapp status ABCD 2025click here
💥શ્રાવણ માસમાં ભક્તો માટે ભેટ: સંપૂર્ણ શિવ મહાપુરાણ ફ્રી એપિસોડ્સclick here
👉હનુમાનજી અને કાર્યક્ષમ કામગીરીclick here

પૌરાણિક કથા

પૌરાણિક ગ્રંથો અનુસાર, કામધેનુ ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે ‘બહુલાના રૂપમાં નંદની ગોશાળામાં પ્રવેશી હતી. કૃષ્ણજીને આ ગાય ખૂબ પસંદ હતી, તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા. બહુલા પાસે એક વાછરડું પણ હતું, એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ, ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ. સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ડરી ગઈ, અને તે ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી. સિંહ તેની તરફ આગળ વધ્યો, બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે, તે તેને ખવડાવીને પાછી આવશે, પછી તે તેને પોતાનો શિકાર બનાવશે.સિંહે કહ્યું હું તારી વાત કેવી રીતે માની શકું? પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે, અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે, જે બહુલાની પરીક્ષા કરવા આવે છે. શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે, અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે.

whatsapp image 2025 08 12 at 08.50.49 b879e79d