જાદર :મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

જાદર મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

નમસ્કાર અહીંયા આપણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદરમાં ભરાતા લોકમેળાની હકીકતલક્ષી ઐતિહાસિક અને મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ ભાદરવા મહિનાના બીજા સોમવાર થી આ લોકમેળાનો પ્રારંભ થાય છે. આ ત્રી દિવસિય મેળાની ભક્તિમય વાત અહીંયા કરવામાં આવેલી છે.

આ મંદિર ગાયોને બચાવનાર મધુવના નામ પરથી મુધણેશ્વર નામે પ્રસિદ્ધ થયું સ્વયંભૂ શિવલિંગ મૃધણેશ્વર થી ઓળખ પામી અને ભાદરવા સુદના બીજા સોમવારથી ત્રણ દિવસીય આ મેળો ઉજવવામાં આવે છે જેમાં લાખો લોકો મેળાની મજા માણતા હોય છે

જાદર ગામમાં ૬૦૦ વર્ષથી મુધ્રણેશ્વર મહાદેવના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો ભાદરવાના બીજા સોમવારથી બુધવાર સુધી ચાલે છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. મેળા દરમિયાન અહીં ચીજ-વસ્તુઓની દુકાનો પણ લાગે છે.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

મુધણેશ્વર મહાદેવ ની કથા

મુંધણેશ્વર મહાદેવ ની અહીંયા જે કથા આપવામાં આવેલી છે તે અમે અમારા પૂર્વજો, સાબરકાંઠા જિલ્લાની ઐતિહાસિક અને લોકવાયકાઓ પરથી લીધેલ છે.

જાદર મંદિરના ઇતિહાસ મુજબ ઈડર તાલુકાના દાદર ગામમાં આવેલા મુંધણેશ્વર મહાદેવ મંદિર ઘણું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.400 /500 વર્ષો અગાઉ મોગલ સામ્રાજ્યના વખતમાં મુઘલ સેના ભારતના દેવા લાયો અને મિલકતો, પ્રજાને હેરાન પરેશાન અને અત્યાચાર કરી રહ્યા હતા. તે સમયે અહીંયા ઘોર જંગલ હતું. મોગલ ક્રૂર સૈનિકો જ્યારે ગાયોની વાડીની જતા હતા તે સમયે ગાયોની રક્ષા કરવા માટે ગોવાળિયાઓએ ત્યાંના મૃધવ અને અન્ય ક્ષત્રિય બંધુઓને હાકલ કરતા આ વીરો ગાયોની રક્ષા કરવા માટે દોડી આવ્યા હતા. જેથી લશ્કરે ભાગતા ભાગતા અહીં આગ લગાવી દીધી હતી.એક જગ્યા એ નાગના રાફડા હતા. નાગદેવતા હેરાન થઈ ખીજડાના વૃક્ષ ઉપર ચડી ગયા હતા. એ પોતાનો પ્રાણ બચાવવા વાચા ફૂટી હોય તેમ ક્ષત્રિય યુવાન મૃધવને વિનંતી કરતા મૃધવે નાગદેવતા નો જીવ બચાવવા તેમને ઢાલ ઉપર લઈને ઢાલને તેના માથા ઉપર રાખીને સુરક્ષિત સ્થળે નાગદેવતા ની મૂકી દીધા હતા.

જેના કારણે નાગદેવતા પ્રસન્ન થઈને મૃધવ ને વરદાન આપ્યું હતું કે ‘ હે વીર તે મારો જીવ બચાવે છે તેથી હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પરંતુ રણ યુધ્ધ જતા પહેલા તેમ મને તારા મસ્તક ઉપર બેસાડવાનું અપશુકન કરતા તું મોગલ સેના સામે વીરગતિ પામીશ. પરંતુ તે મને જીવન આપ્યું હોવાના કારણે અને ગૌરક્ષા કાર્ય જીવ ગુમાવવાનો હોવાથી હું તને “પરમપદ” આપું છું. અને તું આ સ્થળે શિવ રૂપે સ્વયંભૂ પૂજાશો. અને તારા નામ માત્ર થી મનુષ્ય કે પશુનું ઝેર ઉતરી જશે. અહીંયા યુદ્ધ પત્યા પછી. ગાયો પોતાનું દૂધ ત્યાં વહેવડાવતી હતી. ગોવાળિયાઓ એ ઘેર દૂધ ન મળતું હોવાથી તપાસ કરી તો ત્યાં સ્વયંભૂ શિવલિંગ માલુમ પડ્યું હતું અને તે દિવસથી આજ સુધી અહીં મુંધણેશ્વર પૂજાય છે અને તેની યાદમાં ભાદરવા મહિનાના બીજા સોમવારથી શરૂ થઈને ત્રણ દિવસ સુધી ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં લાખો ભક્તો ઉપસ્થિત રહીને ધન્ય બને છે.

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

જાદર મુંધણેશ્વરમહાદેવ મંદિરે કેવી રીતે ઝેર ઉતારાય છે?

અત્યારે વૈજ્ઞાનિક યુગમાં પણ સૌને આચાર્ય થાય તેવી તે જાદરના મુંધણેશ્વર મંદિરે સર્પ દંશનો ભોગ બનેલા લોકોનું ઝેર ઉતારવામાં આવે છે. નાગ દેવતા ના વરદાન મુજબ મંદિરમાં ઘોઘા બાવજીમાં મધુવન પ્રવેશ થાય છે અને ઝેર ઉતારવાની વિધિ દરમિયાન પીડિતને લીમડાના પાન ખવડાવે છે. જો સુધી શરીરમાં 20 હોય ત્યાં સુધી લીમડો મીઠો લાગે છે અને જ્યારે વિશ પૂરેપૂરું ઉતરી જાય છે ત્યારે તેનો અસલી કડવો રસ શરૂ થઈ જાય.

જાદર ના લોકમેળા નો આનંદ

જિલ્લાના ઈડર તાલુકાના જાદરમાં ત્રી દિવસે લોકમેળો ભરાય છે. તેમાં ત્રણ દિવસ સુધી વિવિધ ખાણીપીણી ની દુકાનો, રમતો, બાળકો માટે વિવિધ જાતના રમકડા થી ત્રણ દિવસ સુધી બધા મેળાનો આનંદ માને છે. રાત્રેપણ મેળો પણ હોય છે.ભાદરવાના બીજા સોમવારે આખાય વિસ્તારના લોકો પોતાના પશુઓ માટે કે પોતાની માલમિલકતનું રક્ષણ માટે પોતાના ઘેર શ્રીફળ વધે છે.

💢આ પણ વાંચો:: શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !

સમાપન

નમસ્કાર મિત્રો ઉપરોક્ત આર્ટીકલ માં અમે મુંધણેશ્વર મેળાની વાત, તેનું ઐતિહાસિક મહત્વ, લોકવાયકા, બાળકોમાં મેળાનો આનંદ બધી જ વિગતોની વાત કરેલ છે. કોઈ જગ્યાએ ભૂલ હોય તે ્ક્ષમ્ય ગણશો અને સાચી હકીકત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા:ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ…

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ… (1)

ગુજરાતના સુપ્રસિદ્ધ શકિતપીઠ અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025 નું આયોજન કરવામાં આવશે. જેની માટે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તેમજ આ વખતે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે.

વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ સ્ટેપમાં પોતાના વાહનનું નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકશે.

Show my Parking એપ્લિકેશન 

ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી ખાતે તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન પાર્કિંગ માટે એક એપ્લિકેશન નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એપ્લિકેશન google સ્ટોર એપમાંથી ડાઉનલોડ કરવાની રહેશે.

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

અંબાજી પાર્કિંગ એપ્લિકેશન સ્ટેપ બાય સ્ટેપ માહિતી
  • આ માટે સૌપ્રથમ પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર/ એપ સ્ટોરમાંથી “Show my Parking” એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે
  • મોબાઈલ નંબર થકી લોગ ઇન કર્યા બાદ મેઇન ડૅશ બોર્ડમાં “અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫” ઇવેન્ટ સિલેક્ટ કરવાની રહેશે.
  • ત્યારબાદ તારીખ પસંદ કરીને વાહન નંબર નાખીને પાર્કિંગ સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે.
  • આ વિગતો ભરીને “Book” પર ક્લિક કરતા તરત જ ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મેળવી શકાશે.
SHOW MY PARKING APPLICATION

https://play.google.com/store/apps/details?id=com.showmyparking

  • આ વિશેષ ઑનલાઇન વ્યવસ્થા ઊભી કરાઈ

💥બનાસકાંઠા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ 2025 ભાદરવી પૂનમ મહામેળામાં શ્રદ્ધાળુઓને વાહન પાર્કિગની કોઈપણ સમસ્યા ઉભી ના થાય તેના માટે આ વિશેષ ઑનલાઇન વ્યવસ્થા ઊભી કરાઈ છે.

💥જિલ્લા વહીવટી તંત્ર તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી ખાતે આવનાર તમામ શ્રદ્ધાળુઓને આ નિઃશુલ્ક વાહન પાર્કિંગનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

💢આ પણ વાંચો:: શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !

નિષ્કર્ષ

અહીંયા અમે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના પાર્કિંગની વ્યવસ્થા ની માહિતી આપેલ છે. આપણે ધ્યાનપૂર્વક એપ્લિકેશન અને અંબાજી ખાતેના સરકારના સૂચનો ધ્યાને લેવાના રહેશે. અમે માત્ર માહિતી આપી છે.

માતાના મઢ ની વાર્તા

માતાના મઢ ની વાર્તા આ બ્લોગ પોસ્ટ ની અંદર આશાપુરા માતાજી ગુજરાત રાજ્ય કચ્છ જિલ્લા માં આવેલા આશાપુરા માતાજીના મંદિરની મઠની ઇતિહાસ આપવામાં આવેલો છે. દેશભરના ભાવિક ભક્તોમાં આશાપુરા માતાજીનું મંદિર મોટું આસ્થા નું પ્રતીક છે આવો જોઈએ માતાના મઠ ની વાર્તા

માતાના મઢની વાર્તા

આજથી લગભગ પંદરસો વર્ષ પૂર્વે દેવચંદ નામે એક મારવાડી વૈશ્ય પોતાની વણઝાર લઈને વેપાર તરીકે નીકળેલો ફરતા ફરતા તેણે સ્થાન જોયું વિપુલ પ્રમાણમાં ઘાસચારો જોયો અને પાણી સગવડ જોઈ રોકાઈ ગયો. થોડો વખત અહીં વિશ્રાંતિ લેવાના નિશ્ચયથી તે પોતાના પડાવ નાખ્યો. દેવચંદને સર્વ વાતે સુખ હતું અને પોતાના ઇષ્ટમાં શ્રધ્ધા પણ હતી. પોતાની રીતે પૂજા માટે શ્રીદેવીની સાથે રાખતો હતો.આ સમયે શારદીય નવરાત્રી ચાલતા હોય પરંતુ થોડા દિવસ રોકાઈ પૂજન કરી શકાયએ હેતુથી જ્યાં મંદિર છે ત્યાં રોકાઈ ગયો. દેવચંદ શાહને ભગવતીની કૃપાથી સર્વ પદ્રારથ પ્રાપ્ત હતા છતાં પુત્રની ખામી હતી એટલે તેમની માતાજીને પ્રાર્થના કર્યા કરતો હતો.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

દેવચંદ શાહ માટે એ ફળ પ્રાપ્ત કરવાનો સમય પાકી ગયો હોય તેમ અર્ધ રાતે મહામાયા જગદંબામાં આવીને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે “હે વત્સ! જ્યાં તારો તંબુ છે તે સ્થાન મને પરમ પ્રિય છે તેમ આ સ્થાનની અધિદેવતા પણ હું છું માટે તારે તારી મનોકામના પૂર્ણ કરવી હોય તો એ જ સ્થળે મારું દેવળ બંધાવી તૈયાર કર.

તૈયાર થયા બાદ છ માસ સુધી એના દ્વારને બંધ રાખવા જેથી મારું સર્વાંગ સંપૂર્ણ વિગ્રહ એટલે કે પ્રતિમા મંદિરમાં પ્રાગટ જોવામાં આવશે. મારા આ દિવ્ય વચનને માત્ર સ્વપન સમજી બિલકુલ શંકા ન કરીશ. પ્રાતઃકાળ જ્યારે તું ઉઠીશ એટલે થયા પાસે એક શ્રીફળ અને ચુંદડી જોવામાં આવશે તો તને તું સત્ય માનજે. અસ્તુ !!”

એમ કહી દેવી અંતરધ્યાન થઈ ગયા. દેવચંદ શાહ ઉઠીને જુએ છે તો શ્રી ભગવતીના કયા મુજબ શ્રીફળ ની ચુંદડી તેને જોવા મળ્યા એટલે તેણે શિલ્પકારોને બોલાવીને યોગ્ય મુરત કરાવી મંદિર નું કામ શરૂ કરાવ્યું.

ધીમે ધીમે મંદિર થઈ ગયું પાંચ મહિના નીકળી ગયા રોજ તેની દર્શનની આતુરતા વધતી જતી હતી એક દિવસ મંદિરમાંથી તેને મંત્રોચ્ચાર નો અવાજ આવવા લાગ્યો આજે તેને ધીરજ ખૂટી ગઈ અને તેને દ્વાર ખોલી નાખ્યા તેને હર્ષના આંસુ સાથે થોડુંક ક્ષોભ પણ થયો કારણકે તેની માની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું.

ખૂબ ક્ષમા પ્રાર્થના પણ કરી પરંતુ મા એ કહ્યું કે “હવે કંઈ ન થાય તું શાંતિ ન જાળવી શક્યો એટલે આજે હજી મારા ચરણ ભૂગર્ભમાં જ રહી ગયા છે .આ સ્થિતિ હવે જેમની તેમ રહેવાની છે તું મારો પરમ ભક્ત હોય તારી આજ દિવસ સુધી સેવાથી સંતુષ્ટ છું. અને તને થયેલા અપરાધની ક્ષમા આપું છું ત્યારે જે માંગવું હોય તે માંગી લે.” દેવચંદ વાણીયાએ પોતાને શું કમી છે તે વાત કહી અને માતાએ તેમને તથાસ્તુ કહી અંતરધ્યાન થઈ ગયા”

સમયાંતરે અનેક દાતાઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ છે.

તમને આશાપુરા માતાજી કચ્છ માતાના મઠ ની વાર્તા / કથા ગમી હોય તો ભારતના અને ગુજરાતના અન્ય શ્રદ્ધારોની શેર જરૂર કરજો

images (1)