According to Vastu Shastra, what kind of picture should be placed in the house?

વાસ્તુ શાસ્ત્ર ની દ્રષ્ટિ એ ઘર માં કેવી તસ્વીર લગાવવી જોઈએ?

નમસ્કાર મિત્રો અહીંયા વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ઘરમાં કેવા ચિત્રો લગાવવા જોઈએ. ચિત્રો ઉપર શું લખેલું હોય. તો આપણી પ્રગતિ થાય. વાસ્તુશાસ્ત્રના કેટલાક ચોક્કસ નિયમો હોય છે. આ નિયમોની આઠેમ આ આર્ટીકલ લખવામાં આવ્યું છે.

What is Diwali?

મોર નું ચિત્ર
  • મોરનું ચિત્ર તમારા ઘરમાં લગાવવાથી ધનપ્રવાહ વધશે.વળી મોર સૌભાગ્યનું પ્રતીક છે. એટલે ઘરમાં મોરની તસવીર લગાવી રાખવી જોઈએ.
pecock mor image
પર્વત

પર્વત ગુજરાતી ભાષામાં કહીએ તો ડુંગર

  • પર્વત નું ચિત્ર આપણા ઘરમાં લગાવી રાખવું જોઈએ જેથી આપણામાં સાહસ શોર્યતા આવે છે.
  • પર્વત એ સાહસ અને શૌર્યતાનું પ્રતિક છે
  • પર્વત એ સ્થિરતા નું પ્રતીક પણ છે. આપણે કોઈપણ સફળતા મેળવવી હોય તો સ્થિરતા વગર નકામું છે.
mountain
દોડતા ઘોડાઓ

દોડતા ઘોડાઓની તસવીર જીવનમાં સફળતા અને ઉન્નતી માટે દોડતા ઘોડાઓની તસવીર લગાવવી જોઈએ..

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

top 10 best horse
કમળ નું ફૂલ
  • વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ કમળનું ફૂલ ખૂબ જ ઉપયોગી છે.
  • કમળનું ફૂલ સ્વચ્છતા અને સુંદરતાનું પ્રતીક છે.
  • કમળ નું ફૂલ સમૃદ્ધિનું પણ પ્રતીક છે.
lotus flower
ઈષ્ટ દેવતા

હિન્દુ ધર્મમાં અને અન્ય ધર્મોમાં પણ પોતાના ઈષ્ટ દેવતાનું ચિત્ર લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ તો આવે જ છે.
સાથે સાથે શાંતિ અને સ્થિરતા પણ આવે છે.

  • ➡ ઘરમાં ઇષ્ટદેવતાનું ચિત્ર લગાવવાથી ઘરમાં શાંતિ આવે છે.
  • Peace is a most important
  • શાંતિ એ ખૂબ જ મહત્વની છે.
devta

shaktipeeth-list || દુનિયામાં કઈ કઈ જગ્યાએ છે દેવીમાંના શક્તિપીઠ છે ? , જાણી લો તમામ 51 શક્તિપીઠ ના નામ, કયા સ્થિત છે ?

21મી સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ,નવરાત્રી સ્થાપના પેહલા શું કરશો

21મી સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ,નવરાત્રી સ્થાપના પેહલા શું કરશો

21મી સપ્ટેમ્બરના વર્ષનું છેલ્લું બીજું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. સૂર્ય ગ્રહણના બીજા દિવસથી જ શારદીય નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. 22મી સપ્ટેમ્બરના રાતે 1.23 કલાકે પ્રતિપદા તિથિનો પ્રારંભ થશે. પ્રતિપદાની તિથિ પર જ ઘટ સ્થાપના કરવામાં આવે છે. આવી સ્થિતિમાં લાખ રૂપિયાનો સવાલ એ છે કે સૂર્ય ગ્રહણના બીજા દિવસે ઘટસ્થાપના કઈ રીતે થશે અને કળશ સ્થાપના પહેલાં કેવા અને કયા ઉપાય કરવા જોઈએ?

Trending AI Dandiya Night Editing: નવરાત્રી દરમિયાન Facebook અને Instagram પર આપના ફોટાઓને બનાવો વાયરલ

ભારતીય સમય અનુસાર સૂર્ય ગ્રહણ 21મી સપ્ટેમ્બરના રાતે 10.59 કલાકથી શરૂ થશે અને મોડી રાતે 03.23 કલાકે સમાપ્ત થશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે એટલે ભારતમાં સૂતક કાળ માન્ય નહીં રહે. સૂતક કાળ માત્ર ત્યાં જ લાગુ પડે છે જ્યાં ગ્રહણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ન તો ભારતમાં મંદિરો બંધ થશે કે ન તો પૂજા-પાઠ કે અન્ય કોઈ ધાર્મિક કાર્ય પર રોક લગાવવામાં આવશે. લોકો પોતાની દિનચર્યા અનુસાર ધાર્મિક ગતિવિધિઓ કરી શકશે.

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

હિંદુ ધર્મમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણને શુભ નથી માનવામાં આવતું. એવી માન્યતા છે કે ગ્રહણ સમાપ્ત થયા બાદ નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પૃથ્વી પર જોવા મળે છે એટલે શારદીય નવરાત્રિ શરૂ થાય એ પહેલાં કેટલાક કામ કરવા ખૂબ જ જરૂરી છે. જેનાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય.

Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

નવરાત્રી સ્થાપના પેહલા શું કરશો

ઘરની સફાઈ કરોઃ

  • ગ્રહણ પૂરું થયા બાદ પણ તેની નકારાત્મક અસર પૃથ્વી પર જોવા મળે છે એટલે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને ઘરની સાફ-સફાઈ કરો. એમાં પણ ખાસ કરીને પૂજાસ્થળ એટલે કે મંદિરને સ્વચ્છ અને પવિત્ર કરવું ખૂબ જ જરૂરી છે.

ગંગાજળનો છંટકાવ કરોઃ

  • ગંગાજળથી ઘરનું વાતાવરણ પવિત્ર અવે શાંત થઈ જાય છે, એટલે ગ્રહણ સમાપ્ત થયા બાદ ઘરના દરેક ખૂણે, પૂજા સ્થળ, દરવાજા વગેરે જગ્યાએ ગંગાજળનો છટકાવ કરો. પૂજાની સામગ્રીને પણ ગંગાજળથી શુદ્ધ કરો. ઘટસ્થાપના કે કળશ સ્થાપના માટે જે પણ સામગ્રી છે તેના પર પણ ગંગાજળનો છંટકાર કરો.

સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરોઃ

  • પૂજા શરૂ કરતાં પહેલાં સ્નાન કરીને શુદ્ધ અને સાફ-સુથરા કપડાં પહેરો. પીળા રંગના કપડાં પહેરવું ખૂબ જ શુભ રહેશે. નવરાત્રિમાં પીળા રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે સમૃદ્ધિ, સુખ-શાંતિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ઘટસ્થાપનાના દિવસે પીળા વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
21મી સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ,નવરાત્રી સ્થાપના પેહલા શું કરશો (1)

Trending AI Dandiya Night Editing: નવરાત્રી દરમિયાન Facebook અને Instagram પર આપના ફોટાઓને બનાવો વાયરલ

trending ai dandiya night editing

નવરાત્રીનો તહેવાર માત્ર ગરબા અને દાંડીયાનો જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો પણ સમય બની ગયો છે. આજકાલ યુવાઓમાં AI Dandiya Night Editing નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. લોકો પોતાના ફોટા અને વીડિયો ને AIની મદદથી Instagram અને Facebook પર વાયરલ બનાવવા માટે અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કરે છે. તેમાં ખાસ કરીને Google Gemini ખુબ જ લોકપ્રિય બની ગયું છે. આ આર્ટિકલમાં આપણે સમજશું કે Trending AI Dandiya Night Editing કેવી રીતે કરવું, કયા શબ્દો અને ટૂલ્સ કામ લાગે છે અને “near me” ટ્રેન્ડથી તમે કયા ફાયદા મેળવી શકો છો.

Trending AI Dandiya Night Editing માટે શ્રેષ્ઠ ટૂલ્સ

Google Gemini AI Editor

  • બહુ ઓછી મહેનતથી દાંડિયા ફોટાને પોઈટ્રેટ મોડ, લાઈટ ઈફેક્ટ, અને કલર ટ્યૂનિંગ સાથે ટ્રાન્સફોર્મ કરે છે.

Canva AI

  • તમારું ફોટો અપલોડ કરો અને એમાં નવરાત્રીના સ્નેપ ચેટ જેવી થિમ્સ ઉમેરો.

PicsArt AI Tools

  • ગરબા ડ્રેસ, દાંડિયા સ્ટિક્સ અને બેકગ્રાઉન્ડ સરળતાથી બદલી શકાય છે.
કેવી રીતે બનાવશો નવરાત્રી દરમિયાન વાયરલ ફોટા?

એઆઈ આધારિત એપ્સ નો ઉપયોગ કરો

  • Google Gemini જેવી AI એપ્લિકેશનથી દાંડિયા નાઈટના ફોટા માટે ખાસ ફિલ્ટર્સ અને લાઈટ ઈફેક્ટ્સ ઉમેરો.

સ્થાનિક લોકેશન પસંદ કરો – “Dandiya Night near me”

  • તમારા નજીકમાં કોઈ Dandiya Night near me લોકેશન પર જઈને ફોટા લો કે જ્યાં લાઈટિંગ અને બેકગ્રાઉન્ડ પરફેક્ટ હોય.

Stay in style.

  • નવરાત્રીના પારંપરિક વસ્ત્રો અને ઝળહળતા રંગો પસંદ કરો જેથી એઆઈ એડિટિંગમાં વધુ નખાર આવે.
  • સોશિયલ મીડિયા ફ્રેન્ડલી ફોર્મેટ
  • ફોટાને vertical (9:16) ફોર્મેટમાં રાખો જેથી Instagram reels અને TikTok માટે પરફેક્ટ બને.
AI Photo Prompts

જો તમે નવરાત્રી દરમિયાન ફોટા વધુ ક્રિએટિવ બનાવવા માંગો છો તો AI Photo Prompts ખુબ મદદગાર સાબિત થાય છે. Google Gemini પર તમે “AI Dandiya Night Editing with Nano Banana effect”, “Garba Couple AI Editing near me” અથવા “Trending AI Dandiya Night Editing for Instagram” જેવા પ્રોમ્પ્ટ લખશો તો AI તરત જ તમારી પસંદગી મુજબ ડિઝાઈન, લાઈટિંગ અને કલર ઇફેક્ટ્સ જનરેટ કરશે. આ પ્રોમ્પ્ટ્સ તમારા ફોટાને વધુ યુનિક અને સોશિયલ મીડિયા ફ્રેન્ડલી બનાવે છે જેથી Instagram અને Facebook પર વાયરલ થવાની શક્યતા વધી જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ટિપ્સ (1)
The rise of AI Dandiya Night Editing

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

સોશિયલ મીડિયા યુગમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો ફોટો વાયરલ થાય. નવરાત્રીના ફોટા તો ખાસ કરીને Instagram Reels અને Facebook Stories પર રાજ કરે છે. અહીં AI Dandiya Night Editing તમને એડવાન્સ ફિલ્ટર્સ, લાઇટ ઇફેક્ટ્સ અને કલર ટ્યુનિંગ આપીને તમારો ફોટો વધુ આકર્ષક બનાવે છે. આ ટેક્નિકથી માત્ર યુવાનો જ નહીં પરંતુ બધા વયના લોકો પોતાના ફોટાને સ્ટાઈલિશ અને ક્રિએટિવ બનાવી શકે છે.

Google Gemini સાથે Trending AI Dandiya Night Editing

Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

Google Gemini એ AIની દુનિયામાં એક શક્તિશાળી બ્રાન્ડ છે. ફોટો એડિટિંગમાં તેનો ઉપયોગ કરીને તમે નીચેના લાભ મેળવી શકો છો:

  • દાંડીયા નાઈટના ફોટામાં કલરફુલ બેકગ્રાઉન્ડ અને ઇલેક્ટ્રિક લાઇટ્સ ઉમેરવા.
  • Nano Banana જેવા યુનિક અને ટ્રેન્ડિંગ ઇફેક્ટ્સ સાથે પ્રયોગ કરવો.
  • Instagram અને Facebook પર વધુ ફ્રેન્ડલી દેખાય તેવો આઉટપુટ મેળવવો.
  • ફોટોને વધારે HD અને આર્ટિસ્ટિક બનાવવું.

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

AI Editing Near Me શોધવાનું કારણ

જો તમે Google પર “AI Dandiya Night Editing near me” સર્ચ કરો તો તમને ઘણા ફોટો સ્ટુડિયો, ફ્રીલાન્સ એડિટર્સ અને ઑનલાઈન સર્વિસીસ મળશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં ખાસ કરીને “near me” સર્વિસીસ ખુબ લોકપ્રિય બની રહી છે. લોકો સીધા એડિટર પાસે જઈને ફોટા અપલોડ કરે છે અને સોશિયલ મીડિયા માટે તૈયાર ફોટો પામી લે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ટિપ્સ
સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ટિપ્સ
  • Instagram પર #TrendingAIDandiyaNightEditing હેશટેગ સાથે પોસ્ટ કરો.
  • Facebook પર ગ્રૂપ્સ અને પેજીસમાં ફોટો શેર કરો.
  • AI Dandiya Night Editing નો ઉપયોગ કરીને ફોટોને પ્રોફેશનલ ટચ આપો.
  • લોકલ “near me” કીવર્ડ્સનો ઉપયોગ કરવાથી તમારા ફોટાને વધુ એન્ગેજમેન્ટ મળશે.
FAQs

Q1: AI Dandiya Night Editing શું છે?

  • AI Dandiya Night Editing એ એડવાન્સ ટેક્નિક છે જ્યાં Google Gemini જેવી AI ટેક્નોલોજીથી ફોટા અને વીડિયો ને વધુ આકર્ષક બનાવવામાં આવે છે.

Q2: શું Nano Banana જેવા ફિલ્ટર્સ સાચા ટ્રેન્ડ છે?

  • હા, Nano Banana જેવા યુનિક AI ફિલ્ટર્સ આજકાલ ખૂબ પોપ્યુલર છે અને Instagram પર ઝડપથી વાયરલ થાય છે.

Q3: AI Dandiya Night Editing free છે કે paid?

  • કેટલાક બેઝિક ફીચર્સ ફ્રી છે, પરંતુ પ્રીમિયમ ફોટો ઇફેક્ટ્સ અને HD આઉટપુટ માટે પેઈડ પ્લાન લેવું પડે છે.

Q4: Google Gemini નો ઉપયોગ કેવી રીતે કરવો?

  • તમારો ફોટો Google Gemini પર અપલોડ કરો, પછી AI ફિલ્ટર્સ, કલર ગ્રેડિંગ અને સ્પેશિયલ ઇફેક્ટ્સ પસંદ કરીને એડિટિંગ પૂર્ણ કરો.

નવદુર્ગાનું બીજું સ્વરૂપઃ- દૈવી બ્રહ્મચારિણી Another form of Navadurga:- Daivi Brahmacharini

daivi brahmacharini

નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- દેવી બ્રહ્મચારિણી

દધાના કરપદ્માભ્યામક્ષમાલા કમણ્ડલૂ
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા

માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી નું છે. અહીં ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ તપ છે. બ્રહ્મચારિણી અર્થાત તપના ચારિણી- તપનું આચરણ કરનારા. કહેવાયું છે કે વેદસ્તત્વ તપો બ્રહ્મ-વેદ, તત્વ અને તપ ‘બ્રહ્મ’

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

શબ્દના અર્થ છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે.પોતાના પૂર્વજન્મમા જયારે તેઓ હિમાલયના ઘેર પુત્રીરૂપે અવતર્યા, ત્યારે નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિરૂપે પામવા અત્યંત કઠિન તપ કર્યું હતું. આ દુષ્કર તપને કારણે તેમને તપશ્ચારિણી અર્થાત્ બ્રહ્મચારિણી નામથી અભિહિત કરાયાં. એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફ્ળ-મૂળ ખાઈને વ્યતીત કર્યા. સો વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાહ કર્યો. કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતાં કરતાં ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનાં ભયાનક કષ્ટ સહ્યાં. આ કઠિન તપશ્ચર્યા બાદ ત્રણ હજાર વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બીલીપત્રો ખાઈને અહર્નિશ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા. તત્પશ્ચાત તેમને સૂકા બીલી પત્રો ખાવાનું પણ છોડી દીધું. કેટલાક હજાર વર્ષો સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતા રહ્યા. પાંદડા (પર્ણ) ખાવાના છોડી દેવાના કારણે તેમનું એક નામ ‘અપર્ણા’ પણ પડી ગયું. કેટલાંક હજાર વર્ષોના આ કઠિન તપને કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું એ શરીર એકદમ ક્ષીણ થઈ ગયું. તેઓ અત્યંત કૃશકાય થઈ ગયાં. તેમની આ દશા જોઈને તેમનાં માતા મેના અત્યંત દુ:ખી થઈ ઊઠઘાં. તેમણે તેમને આ કઠિન તપસ્યાથી વિરત કરવા માટે પોકાર કર્યો;

Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

 ‘ઉ...મા’, અરે! નહીં ઑ! નહીં! 

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

ત્યારથી દેવી *બ્રહ્મચારિણીના* પૂર્વજન્મનું એક નામ *ઉમા* પણ પડ્યું.તેમના આ તપને કારણે ત્રણેય લોકોમાં હાહાકાર થઈ ગયો. દેવો, ઋષિઓ, સિદ્ધજનો, મુનિઓ સર્વે *બ્રહ્મચારિણી* દેવીના આ તપને અભૂતપૂર્વ પુષ્પકૃત્ય કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. અંતમાં પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરે કહ્યું, 

‘હે દેવી! આજ સુધી કોઈએ આવું કઠોર તપ કર્યું નથી. આવું તપ તમારાથી જ સંભવ હતું. તમારા આ અલૌકિક કૃત્યની પ્રશંસા ચારે કોર થઈ રહી છે. તમારી મનોકામના સર્વતોભાવેન પરિપૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિરૂપે પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી વિરત થઈ ઘેર પાછાં કરો.

તમારા પિતા શીઘ્રતાપૂર્વક તમને લેવા આવી રહ્યા છે માં દુર્ગા નું આ દ્વિતીય સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે. જીવનના કઠિન સંઘર્ષોમાંય તેમનુ મન કર્તવ્ય પથચી કદીય વિચલિત થતું નથી. મા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તેને સર્વત્ર સિદ્ધિ અને વિજય ની પ્રાપ્તિ થાય છે. દુર્ગા પૂજાના બીજા દિવસે એમના આ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિત થાય છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરે છે.

યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્મૈ નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ:

Conclusion

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં નવરાત્રી ના માતા નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- દેવી બ્રહ્મચારિણી માહિતી મુકેલ છે.અને માતાજી ના ફોટા મુકેલ છે. આ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે..

શ્રાદ્ધપક્ષની તિથિયા 2025 II Shraddha Paksha Tithiya 2025

શ્રાદ્ધપક્ષની તિથિયા 2025

ગણેશોત્સવ બાદ નવરાત્રિ શરૂ થાય છે અને બંને હિંદુઓ માટેના ખૂબ જ મહત્ત્વના તહેવારો છે. આ બંને તહેવારો વચ્ચે 15 દિવસ શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષ શરૂ થાય છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરથી એટલે કે આજથી પિતૃ પક્ષ શરૂ થશે અને 21મી સપ્ટેમ્બરના પૂરું થશે.

હિન્દુ ધર્મની સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૃથ્વી ઉપર પિતૃ આવે છે અને તેમની વિધિ માટે, પૂજા માટે 16 દિવસ સુધી અલગ અલગ તિથિ પ્રમાણે રાજ્ય મનાવવામાં આવે છે.

આ વખતનો આ પિતૃ પક્ષ કે જેને આપણે શ્રાદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ એ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત ચંદ્ર ગ્રહણથી શરૂ થશે અને સૂર્ય ગ્રહણ પણ સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણ એટલે શું?2025 ના વર્ષ નું છેલ્લું ચંદ્ર ગ્રહણ

2025 માં પિતૃ પક્ષ ક્યારે છે?

હિન્દુ કેલેન્ડર મુજબ, વર્ષ 2025માં, પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર રવિવારથી શરૂ થઈ રહ્યો છે અને આ દિવસે પૂર્ણિમા શ્રાદ્ધ છે, તે સમયે જ 21મી સપ્ટેમ્બર 2025 રવિવારના રોજ સર્વ પિતૃ અમાવસ્યા સાથે સમાપ્ત થશે

જો તમે પણ એ પણ જાણવા માગતા હો કે કઈ તિથિ એ કઈ શ્રદ્ધ કરવાનું છે તો સંપૂર્ણ યાદી અહીંથી જુઓ

શ્રાદ્ધ પક્ષ સંપૂર્ણ યાદી

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

✅ આપણે અહીંયા વર્ષ 2025 ની રાજ્ય પિતૃપક્ષની તિથિયા એટલે કે કયું શ્રાદ્ધ કયા વારે અને કઈ તારીખે આવે છે. આ જાણકારી ખૂબ જ મહત્વની છે.

ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેથી તેમને શાંતિ અને સદ્ગતિ મળે.

તિથિતારીખદિવસ
પૂર્ણિમાનાશ્રાદ્ધ7 સપ્ટેમ્બર 2025રવિવાર
પ્રતિ પ્રદાશ્રાદ્ધ8 સપ્ટેમ્બર 2025સોમવાર
દ્વિતીયશ્રાદ્ધ9 સપ્ટેમ્બર 2025મંગળવાર
તૃતીયા અને ચતુર્થીશ્રાદ્ધ10 સપ્ટેમ્બર 2025 બુધવાર
ભરણી અને પંચમી શ્રાદ્ધ11 સપ્ટેમ્બર 2025 ગુરૂવાર
ષષ્ટિશ્રાદ્ધ12 સપ્ટેમ્બર 2025શુક્રવાર
સપ્તમીશ્રાદ્ધ13 સપ્ટેમ્બર 2025શનિવાર
અષ્ટમીશ્રાદ્ધ14 સપ્ટેમ્બર 2025રવિવાર
નવમીશ્રાદ્ધ15 સપ્ટેમ્બર 2025સોમવાર
દસમીશ્રાદ્ધ16 સપ્ટેમ્બર 2025 મંગળવાર
એકાદશીશ્રાદ્ધ17 સપ્ટેમ્બર 2025બુધવાર
દ્વાદશીશ્રાદ્ધ18 સપ્ટેમ્બર 2025ગુરૂવાર
ગયો દશી /માદ્ધશ્રાદ્ધ19 સપ્ટેમ્બર 2025 શુક્રવાર
ચતુર્દષ્ટિશ્રાદ્ધ20 સપ્ટેમ્બર 2025શનિવાર
સર્વ પિતૃ અમાવસ્યા શ્રાદ્ધ21 સપ્ટેમ્બર 2025રવિવાર
મહત્ત્વપૂર્ણ તિથિઓ અને તેમનું મહત્ત્વ

Colours of Navratri 2025

શ્રાદ્ધ પક્ષમાં કેટલીક તિથિઓનું વિશેષ મહત્વ હોય છે:

  • તિથિ 3 અને 4: આ બંને તિથિઓ એકસાથે છે. જે લોકોની તિથિ 3 અથવા 4 હોય, તેઓ આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે.
  • તિથિ 9 (નવમી): આ તિથિને સૌભાગ્યવતી સ્ત્રી શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ સૌભાગ્ય અવસ્થામાં થયું હોય.
  • તિથિ 12 (બારસ): આ દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એટલે કે જે લોકોએ સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ કરવામાં આવે છે.
  • તિથિ 14 (ચૌદશ): આ દિવસ શસ્ત્રપીડિતનું શ્રાદ્ધ કરવા માટે ખાસ છે, જે લોકોનું મૃત્યુ અકાળે અથવા અકસ્માતને કારણે થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે.
  • તિથિ 15/30 (અમાસ): આ દિવસને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને તેમના પિતૃઓની તિથિ યાદ ન હોય, તેઓ આ દિવસે સર્વપિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે પૂનમનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે.
જ્યારે મૃત્યુ તિથિ ખબર ન હોય: કઈ તિથિએ કરવું શ્રાદ્ધ?

જો તમારા કોઈ સ્વજન કે પરિવારજનનું મૃત્યુ થયું હોય અને તમને તેમની તિથિની ચોક્કસ જાણકારી ન હોય, તો તમે તેમનું શ્રાદ્ધ અમાસના દિવસે કરી શકો છો. ભારતીય પંચાંગ અને શાસ્ત્રોમાં પણ આ વિશે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શ્રાદ્ધ પક્ષની છેલ્લી તિથિ એટલે કે સર્વપિતૃ અમાસનો દિવસ આ ખાસ હેતુ માટે જ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિવસે, જેમને પોતાના પિતૃઓની મૃત્યુતિથિ યાદ ન હોય, તેઓ બધા પિતૃઓનું એકસાથે શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 2025 – Timing, Sutak Kaal અને Zodiac Impact

ચંદ્ર ગ્રહણ 2025 – timing, sutak kaal અને zodiac impact

✨ Introduction

આજે 7 સપ્ટેમ્બર 2025 ના રોજ વર્ષનું છેલ્લું Chandra Grahan (Lunar Eclipse) જોવા મળશે. આ ગ્રહણ વૈજ્ઞાનિક રીતે ખગોળીય ઘટના છે પરંતુ હિંદુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં તેનું વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ Exact Timing, Sutak Kaal અને કઈ રાશિઓ પર કેવી અસર પડશે તેની સંપૂર્ણ માહિતી.

⏳ Lunar Eclipse Timing (IST)

There are religious and scientific reasons for eating dudhpak in Shraddha Paksha!

👉 એટલે કે આજે રાત્રે આખા ભારતમાં Blood Moon તરીકે જાણીતા લાલ ચંદ્રનું નજારું જોવા મળશે.

ચંદ્રગ્રહણ એટલે શું?2025 ના વર્ષ નું છેલ્લું ચંદ્ર ગ્રહણ

🕉 Sutak Kaal (સુતક કાળ)

હિંદુ ધર્મમાં ગ્રહણ પહેલાં 9 કલાક પહેલા સુતક કાળ શરૂ થાય છે.

  • Sutak Start: બપોરે 12:58 PM (7 સપ્ટેમ્બર)
  • Sutak End: ગ્રહણ પૂર્ણ થયા બાદ, એટલે કે 12:22 AM (8 સપ્ટેમ્બર)
♈ રાશિ મુજબ અસર (Zodiac Impact)

⚠ કપરા સમય (Negative Impact) – 7 રાશિઓ

આ ગ્રહણ નીચેની સાત રાશિઓ માટે કપરા સમય લાવશે:

  • મેષ (Aries)
  • વૃષભ (Taurus)
  • સિંહ (Leo)
  • વૃશ્ચિક (Scorpio)
  • મકર (Capricorn)
  • કુંભ (Aquarius)
  • મીન (Pisces)

👉 આ જાતકોને સ્વાસ્થ્ય સમસ્યા, માનસિક તણાવ, આર્થિક નુકસાન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

✅ સારા પરિણામ (Positive Impact)

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

કર્ક (Cancer) અને કન્યા (Virgo) રાશિના લોકો માટે આ ગ્રહણ લાભકારી સાબિત થઈ શકે છે.
તેમને નવા અવસર, કરિયર ગ્રોથ અને માનસિક શાંતિ મળી શકે છે.

🪔 શું કરવું ચંદ્રગ્રહણ દરમિયાન? (Do’s & Don’ts)

  • ✔ ભગવાનનું સ્મરણ કરો અને મંત્ર જાપ કરો
  • ✔ ખાવા-પીવાના પદાર્થોમાં તુલસી પાન મૂકી રાખો
  • ✔ ગ્રહણ બાદ સ્નાન કરીને દાન પુણ્ય કરો
  • ❌ સુતક દરમ્યાન રસોઈ, ખાવા, પૂજા-પાઠ, શુભ કાર્ય ન કરવું

Colours of Navratri 2025

📌 Conclusion

7-8 September 2025 Chandra Grahan માત્ર ખગોળીય ઘટના નથી પરંતુ ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.ગ્રહણ શરૂ થશે 8:58 PM એ અને સમાપ્ત થશે 12:22 AM એ.સુતક કાળ શરૂ થશે બપોરે 12:58 PM એથી.7 રાશિઓ માટે આ કપરો સમય હશે જ્યારે Cancer અને Virgo રાશિ માટે આ શુભ અવસર સાબિત થઈ શકે છે.👉 તેથી આજે રાત્રે ચંદ્રગ્રહણના આ અદભુત દ્રશ્ય સાથે ધાર્મિક માન્યતાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.🔗 Reference: Indiatimes – Chandra Grahan 2025

ચંદ્રગ્રહણ એટલે શું?2025 ના વર્ષ નું છેલ્લું ચંદ્ર ગ્રહણ

ચંદ્રગ્રહણ એટલે શું2025 ના વર્ષ નું છેલ્લું ચંદ્ર ગ્રહણ

ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જે ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની છાયામાં જાય છે, જેના કારણે ચંદ્ર અંધારું થઈ જાય છે. આ પ્રકારનું સંરેખણ ગ્રહણની મોસમ દરમિયાન થાય છે, લગભગ દર છ મહિને, પૂર્ણ ચંદ્રના તબક્કા દરમિયાન, જ્યારે ચંદ્રનું ભ્રમણકક્ષાનું વિમાન પૃથ્વીની ભ્રમણકક્ષાના વિમાનની સૌથી નજીક હોય છે.

આપણે અહીંયા ચંદ્ર ગ્રહણ એટલે શું? ચંદ્ર ગ્રહણ ની તારીખ 7.9.2025 ના રોજ આ વર્ષ નું છેલ્લું થવાનું છે. તે ઘટનાઓ ની સામાજિક,ખગોળીય,ધાર્મિક, ઘેર માન્યતા ઓ વિગેરે જોઈશું.

ચંદ્રગ્રહણ એટલે શું?
  • આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે.
  • તે તેની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.
  • ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.
  • ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.
  • ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.
ચંદ્રગ્રહણ એટલે શું
બ્લડ મૂન શું છે અને તે ક્યારે દેખાય?
  • બ્લડ મૂન એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાય અને સામાન્ય કરતાં બહુ મોટો દેખાય.
  • બ્લડ મૂન એ વૈજ્ઞાનિક નામ નથી, પણ ચંદ્ર લાલ દેખાતો હોવાથી એને આવું હુલામણું નામ અપાયું છે.
  • સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે બ્લડ મૂન દેખાતો હોય છે. એ વખતે ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે અને તેના પર અનોખા કોણથી પડતાં પ્રકાશને લીધે એ લાલ રંગનો દેખાવા લાગે છે.
  • આવું ત્યારે ઘટતું હોય છે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની એકદમ વચ્ચોવચ આવી જાય છે અને તેનો સંપૂર્ણ પડછાયો ચંદ્ર પર પડે છે.

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

બ્લડ મૂન શું છે અને તે ક્યારે દેખાય
ભારતમાં ચંદ્ર ગ્રહણ ની શરૂઆત અને અંત

Colours of Navratri 2025

ભારતમાં ચંદ્રગ્રહણનો સમય

ચંદ્રગ્રહણનો અંત

ચંદ્રગ્રહણનો અંતસવારે 2 કલાક અને 25 મિનિટ, સપ્ટેમ્બર 8.
કેટલા પ્રકારના ચંદ્ર ગ્રહણ હોય છે?

સૂર્ય પૃથ્વી અને ચંદ્ર કેટલા ઓછા અથવા કેટલા સરેખિત છે તેના આધારે ત્રણ પ્રકારના ચંદ્ર ગ્રહણ હોય છે.

  • સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો પડછાયો સમગ્ર ચંદ્રની સપાટી પર પડે છે.
  • આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનું માત્ર એક જ ભાગ પૃથ્વીના પડછાયામાં પ્રવેશે છે, જે ચંદ્રની સપાટીને કાપી નાખતું હોય તેવું દેખાઈ શકે છે. ચંદ્રની પૃથ્વી તરફની બાજુએ પૃથ્વીનો પડછાયોકારો દેખાશે. કટ ભાગ આપણે જોઈએ છીએ.
  • પેનમ્બલ એ ત્રીજું ચંદ્રગ્રહણ છે, આમાં પૃથ્વીના પડછાયો હડવો ભાગ ચંદ્રની સપાટી પર પડે છે. આ પ્રકારનું ગ્રહણ અન્ય બે ગ્રહણ જેટલું નાટકી નથી અને તે જોવાનું કંઈક અંશે મુશ્કેલ હોય છે. પણ વૈજ્ઞાનિકો માટે મહત્વનું હોય છે.
ક્યાં ક્યાં દેખાશે?(Chandra Grahan 2025)

આ ખગોળીય ઘટના પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, ચીન, રશિયા અને પૂર્વ આફ્રિકાના ભાગોમાં દેખાશે. ભારતમાં, તે દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, લખનૌ, પુણે, ચંદીગઢ અને જયપુર સહિત લગભગ તમામ મુખ્ય શહેરોમાં દેખાશે.

ગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું? (Chandra Grahan 2025)

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહણ દરમિયાન કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ:

👉 શું કરવું: dharmik

  • ગ્રહણ દરમિયાન મંત્રોનો જાપ, ધ્યાન અને પ્રાર્થના કરવી શુભ માનવામાં આવે છે.
  • ગ્રહણ સમાપ્ત થયા પછી, સ્નાન કરો અને ઘર અને પૂજા સ્થળને શુદ્ધ કરો.
  • જરૂરિયાતમંદોને દાન આપો.
  • ખાદ્ય પદાર્થોને દૂષિત ન થાય તે માટે, તેમના પર તુલસીના પાન અથવા કુશ રાખો.

👉શું ન કરવું:dharmik

  • સુતક કાળ દરમિયાન ખાવું, પાણી પીવું કે ખોરાક રાંધવો વર્જિત માનવામાં આવે છે.
  • સગર્ભા સ્ત્રીઓએ ઘરની બહાર ન જવું જોઈએ અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
  • ગ્રહણ દરમિયાન કોઈ પૂજા કે કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ.
  • ગ્રહણના પડછાયા તરફ સીધી આંખોથી જોવું અશુભ માનવામાં આવે છે.

જાદર :મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

Colours of Navratri 2025

colours of navratri 2025 (1)

નવરાત્રી 2025 યે 22 સપ્ટેમ્બર થી ચાલુ થાય છે. ભારત માં નવરાત્રી માં નવ દિવસ માતાજી ની પૂજા અર્ચના થાય છે. વિવિધ પ્રદેશો માં વિવિધ રીતે માતાજી ને રીઝવવા ભક્તો પૂજા અર્ચના કરે છે.

આપણે આ ધાર્મિક આર્ટિકલ માં નવ દિવસ ના વિવિધ રંગો વિશે વાત કરીશું. વિવિધ રંગો પણ વિશેષ મહત્વ ધરાવે છે.

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

Colours of Navratri 2025
colours of navratri 2025

મહત્વ: 👉પીળો રંગ પહેરવાથી વ્યક્તિના જીવનમાં ખુશી અને સકારાત્મકતા આવે છે. આ રંગ હૂંફ અને આનંદનું પ્રતીક છે, જે તમને દિવસ અને વર્ષ દરમિયાન શાંત અને ખુશખુશાલ અનુભવવામાં મદદ કરે છે.

💥Day 5 – White

નવરાત્રી 2025 માટે રંગોની મહત્વની વાત કરેલ છે. રાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીની ભક્તિમાં આ રંગો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જાદર :મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

Navratri (Shardiya Navratri) 2025

navratri (shardiya navratri) 2025

નવરાત્રી, જેને શારદીય નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઉત્તર અને પૂર્વ ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર સારા અને ખરાબ વચ્ચેના નવ રાત્રિના યુદ્ધનું પ્રતીક છે, જે દસમા દિવસે સારાના વિજયમાં પરિણમે છે. આ સમયગાળા દરમિયાન, માતા દુર્ગાને શક્તિ, ઉર્જા અને શાણપણની દેવી તરીકે પૂજવામાં આવે છે.

Navratri Calendar ( કેલેન્ડર) 2025
દિવસ અને તારીખતહેવારતિથિ
22 September 2025, Mondayઘટસ્થાપનપ્રતિપદા
23 September 2025, Tuesdayમા બ્રહ્મચારિણી પૂજાદ્વિતીયા
24 September 2025, Wednesdayમા ચંદ્રઘંટા પૂજાતૃતીયા
25 September 2025, Thursdayમા કુષ્માંડા પૂજાચતુર્થી
26 September 2025, Fridayસ્કંદમાતા પૂજામહાપંચમી
27 September 2025, Saturdayમા કાત્યાયની પૂજામહાષષ્ઠી
28 September 2025, Sunday
મા કાલરાત્રી પૂજામહા સપ્તમી
29 September 2025, Mondayમા મહાગૌરી પૂજામહાઅષ્ટમી
30 September 2025, Tuesday
મા સિદ્ધિદાત્રી પૂજા, મહા નવમીમહા નવમી
01 October 2025, Wednesdayવિજય દશમીદશમી
નવરાત્રી 2025 ક્યારે ઉજવવામાં આવશે?

નવરાત્રી, જેનો અર્થ ‘નવ રાત’ થાય છે, તે અમાવસ્યા (અમાવસ્યા) પછીના દિવસે શરૂ થાય છે. ચંદ્ર ચક્રના પહેલા નવ દિવસ સ્ત્રીત્વ માનવામાં આવે છે, જે દેવીનું પ્રતિનિધિત્વ કરે છે, જે દિવ્યતાના સ્ત્રીત્વ છે. નવમો દિવસ, જેને નવમી તરીકે ઓળખવામાં આવે છે, તે આ તબક્કાનો અંત દર્શાવે છે. પૂર્ણિમાની આસપાસના દોઢ દિવસ તટસ્થ હોય છે, જ્યારે બાકીના અઢાર દિવસ પુરુષત્વમાં હોય છે. પરંપરાગત રીતે, નવમી સુધીની બધી પૂજા આ સ્ત્રીત્વ તબક્કા દરમિયાન દેવીને સમર્પિત કરવામાં આવે છે.

અહીં દર વર્ષે નવ દિવસના બાર સમયગાળા છે, જે દરેક સ્ત્રીત્વના દિવ્યતા અથવા દેવીના એક અલગ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓક્ટોબરમાં આવતી નવરાત્રી સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે તે શીખવાની દેવી શારદાને સમર્પિત છે. આ પરંપરા શીખવાને સૌથી વધુ મૂલ્ય આપે છે, એક અનન્ય ક્ષમતા જે મનુષ્યોને અન્ય જીવોથી અલગ પાડે છે. જ્યારે અન્ય જીવો ઝડપી કે મજબૂત હોઈ શકે છે, તેઓ મનુષ્યો જેટલું શીખી શકતા નથી. માનવ હોવાનો સાચો ગર્વ કંઈપણ શીખવાની ક્ષમતામાં રહેલો છે, જો કે વ્યક્તિ તે કરવા માટે તૈયાર હોય.

૨૦૨૫ માટે મુખ્ય નવરાત્રી તારીખો
  • 22 સપ્ટેમ્બર 2025 સોમવારના રોજ ઘટસ્થાપન
  • મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025 ના રોજ દુર્ગાષ્ટમી
  • બુધવાર, 01 ઓક્ટોબર 2025 ના રોજ મહા નવમી
નવરાત્રીનું ધાર્મિક મહત્વ

પૌરાણિક કથાઓ અનુસાર, નવરાત્રિની ઉત્પત્તિ વિશે વિવિધ વાર્તાઓ સમજાવે છે. એક વાર્તામાં રાક્ષસોના રાજા મહિષાસુર વિશે કહેવામાં આવ્યું છે, જેણે સ્વર્ગમાં દેવતાઓ સામે યુદ્ધ કર્યું હતું. તેના જવાબમાં, શિવ, બ્રહ્મા અને વિષ્ણુના ત્રિમૂર્તિ સહિત બધા દેવતાઓએ તેમની દૈવી શક્તિઓને જોડીને શક્તિ અને ‘શક્તિ’ના અવતાર દેવી દુર્ગાનું નિર્માણ કર્યું. નવ રાતના તીવ્ર યુદ્ધ પછી, દુર્ગાએ મહિષાસુરને હરાવ્યો. દસમા દિવસે, તેના વિજયને વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે, જે અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે.

બીજી એક વાર્તા ભગવાન રામની છે, જે સીતાને લંકાની કેદમાંથી છોડાવવા માટે રાવણ સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. યુદ્ધ પહેલાં, રામે દેવી દુર્ગાની પૂજા કરી, તેમના આશીર્વાદ માંગ્યા. પૂજા માટે તેમને 108 કમળની જરૂર હતી, અને જ્યારે તેઓ ગણતરી પૂર્ણ કરવા માટે તેમની એક આંખ અર્પણ કરવાના હતા, ત્યારે દેવી દુર્ગા પ્રગટ થયા અને તેમને તેમની દિવ્ય ‘શક્તિ’ થી આશીર્વાદ આપ્યા. રામે તે દિવસે યુદ્ધ જીતી લીધું. વધુમાં, હિમાલયના રાજા દક્ષની પુત્રી ઉમા, નવરાત્રી દરમિયાન દસ દિવસ માટે ઘરે આવતી હોવાનું માનવામાં આવે છે. ભગવાન શિવ સાથે લગ્ન કરીને, આ તહેવાર તેમના પૃથ્વી પર પાછા ફરવાની ઉજવણી કરે છે.

જાદર :મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

નવ નવરાત્રીના દિવસો અને દેવી દુર્ગાના અવતારો

નવ રાતો સુધી, લોકો નવરાત્રીની ઉજવણી ઊંડી ભક્તિ અને પ્રાર્થના સાથે કરે છે. દરેક દિવસ દેવી દુર્ગાના એક અવતારને સમર્પિત છે, અને ભક્તો દરેક દિવસને અનુરૂપ ચોક્કસ રંગો પહેરે છે.

મહત્વ: દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ‘શૈલા’ નો અર્થ પર્વત થાય છે, અને ‘પુત્રી’ નો અર્થ પુત્રી થાય છે. પર્વત દેવની પુત્રી તરીકે, આ દિવસે દેવી પાર્વતીનું સન્માન કરવામાં આવે છે.

મહત્વ: દેવી બ્રહ્મચારિણી, જે દુર્ગાનું એક સ્વરૂપ છે જે ક્રોધ ઘટાડવાનું પ્રતીક છે, તેની પૂજા કરવામાં આવે છે.

મહત્વ: ભક્તો દેવી ચંદ્રઘંટાની પૂજા કરે છે, જેમને ત્રીજી આંખ હોવાનું માનવામાં આવે છે અને તેઓ દુષ્ટ રાક્ષસો સામે લડે છે. પૂજા દરમિયાન તેમને પ્રસન્ન કરવા માટે ચમેલીના ફૂલો ચઢાવવામાં આવે છે.

મહત્વ: દેવી કુષ્માંડાને સમર્પિત, જેમના નામનો અર્થ ‘બ્રહ્માંડીય ઇંડા’ થાય છે. તે બધામાં ઊર્જા અને હૂંફ ફેલાવવા માટે જાણીતી છે.

દિવસ 5: સ્કંદમાતા અથવા પંચમી

મહત્વ: દેવી સ્કંદમાતાને સમર્પિત, જે બુધ (બુધ ગ્રહ) પર શાસન કરે છે. તેણી તેના ઉગ્ર છતાં પ્રેમાળ સ્વભાવ માટે પૂજનીય છે.

મહત્વ: ષષ્ઠી પર, દેવી દુર્ગા રાક્ષસોના રાજાને હરાવવા માટે દેવી કાત્યાયનીનું રૂપ ધારણ કરે છે. સ્ત્રીઓ શાંતિપૂર્ણ લગ્ન અને પારિવારિક જીવન માટે પ્રાર્થના કરે છે.

મહત્વ: આ દિવસ દેવી કાલરાત્રિને સમર્પિત છે, જે તેમના ઉગ્ર સ્વભાવ અને સમગ્ર બ્રહ્માંડમાં દુષ્ટ આત્માઓને ભયભીત કરવાની ક્ષમતા માટે જાણીતી છે. તે કાલી દેવીનો સૌથી વિનાશક અવતાર છે અને ભગવાન શનિ (શનિ) પર શાસન કરે છે.

દિવસ ૮: મહાગૌરી અથવા અષ્ટમી

મહત્વ: આ દિવસે લોકો મહાગૌરીની પૂજા કરે છે, જેમને સફેદ વસ્ત્રો પહેરેલી અને બળદ પર સવારી કરતી દર્શાવવામાં આવી છે. કન્યા પૂજા, યુવાન કુંવારી છોકરીઓને સમર્પિત એક ખાસ પ્રસંગ, ઉજવવામાં આવે છે. આ દિવસને મહાષ્ટમી અથવા મહા દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે નૃત્ય, મજા અને પ્રાર્થના સાથે ઉજવવામાં આવે છે.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

મહત્વ: દેવી સિદ્ધિદાત્રીને સમર્પિત, જેમને બધી ઇચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ હોવાનું માનવામાં આવે છે. નવમો દિવસ તેમને સમર્પિત છે.

મહત્વ: નવ દિવસની પ્રાર્થના પછી, દસમા દિવસને વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે, જે નવા પ્રયાસો શરૂ કરવાનો સમય છે. તેને વિદ્યારંભમ પણ કહેવામાં આવે છે, જે બાળકોને શિક્ષણની દુનિયામાં પરિચય કરાવે છે. સિંધૂર ખેલા આ દિવસે ધાર્મિક વિધિઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

નવરાત્રી દરમિયાન ધાર્મિક વિધિઓ

નવરાત્રીની નવ રાત્રિ દરમિયાન, દેવી દુર્ગાની પૂજા ત્રણ અલગ અલગ સ્વરૂપોમાં કરવામાં આવે છે:

  • પહેલા ત્રણ દિવસ: તેણીને ‘શક્તિ’ તરીકે પૂજવામાં આવે છે, જે શક્તિની દેવી છે.
  • આગામી ત્રણ દિવસ: તેણીને ધનની દેવી લક્ષ્મી તરીકે પૂજનીય છે.
  • છેલ્લા ત્રણ દિવસ: તેમને જ્ઞાન અને શાણપણની દેવી સરસ્વતી તરીકે પૂજનીય છે.

ભક્તો ઘણીવાર ઉપવાસ રાખે છે, અનાજ, ડુંગળી, માંસ અને દારૂનો ત્યાગ કરે છે. ઉત્તર ભારતમાં ઉપવાસ કરનારાઓ માટે ખાસ નવરાત્રી ભોજન તૈયાર કરવામાં આવે છે. પૂર્વ ભારતમાં, નવરાત્રીને દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે, જે વર્ષનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. મોટા પંડાલો સ્થાપિત કરવામાં આવે છે અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવે છે, અને આ સમય દરમિયાન વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે.

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

ગુજરાત અને મહારાષ્ટ્રમાં, નવરાત્રી નૃત્યને ગરબા અને દાંડિયા તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સ્થાનિક લોકો પરંપરાગત પોશાક પહેરીને હાથમાં દાંડિયા લાકડીઓ સાથે નૃત્ય કરે છે. ગોવામાં, નવરાત્રી દરમિયાન ખાસ જાત્રાઓ શરૂ થાય છે, અને સારસ્વત બ્રાહ્મણ મંદિરોને આ તહેવાર માટે શણગારવામાં આવે છે. ભક્તો દશા મૈત્રિકાઓની પૂજા ચંદનના લાકડાના પેસ્ટ, કુમકુમ અને નવા કપડાં અને આભૂષણોથી કરે છે. કેરળમાં, નવમા દિવસે, ઘરના બધા સાધનોને આશીર્વાદ આપવા માટે આયુધ પૂજા કરવામાં આવે છે.

Navratri 2025 Faq

There are religious and scientific reasons for eating dudhpak in Shraddha Paksha!

there are religious and scientific reasons for eating dudhpak in shraddha paksha!

શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !There are religious and scientific reasons for eating dudhpak in Shraddha Paksha!

શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !

ભાદરવો મહિનો એટલે પિતૃતર્પણના દિવસો. આ દિવસોમાં દૂધપાક, વડા, પુરી ઘરમાં જ બને છે જે થોડું કાગડાઓને જમાડવામાં આવે છે અને પછી ઘરમાં બધા જમે છે. આ દિવસોમાં દૂધપાક એ દરેક ઘરમાં બનતી વસ્તુ છે, પણ તેને આરોગવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક દષ્ટિએ શું ફાયદા છે એ જાણીએ.

ધાર્મિક કારણ:

કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

ભાદરવા પુનમથી લઈને અમાસ સુધીના 16 દિવસોમાં મૃત પિતૃઓના આત્માની શાંતિ માટે પ્રયાસો કરવામાં આવે છે. એવું કહેવાય છે સંતુષ્ટ આત્મા ફરીથી પ્રેત યોનિમાં પ્રવેશતો નથી અને એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. દાદીઓ પાસેથી સાંભળ્યું છે કે પિતૃઓનો આત્મા કાગડા સ્વરૂપે સંતુષ્ટિ માટે આવે છે જેથી તેને દૂધપાક અને પુરી ખવડાવવામાં આવે છે.

વૈજ્ઞાનિક કારણ

વિજ્ઞાન અનુસાર ભાદરવો એટલે પશુ અને પક્ષીઓમાં પ્રજનનનો મહિનો. અહીં પશુઓ અને પક્ષીઓ બચ્ચાને જન્મ આપે છે. આ સમયે માદા પક્ષીઓને પોષણની જરૂર હોય છે પણ તે વિયાયેલા હોવાથી ખોરાકની શોધમાં જઈ ન શકે એટલે આવા ભૂખ્યા અને અસંતુષ્ટ પક્ષીઓને ખવડાવીને આપણે પુણ્ય મેળવીએ.

પર્યાવરણનો દ્રષ્ટિકોણ

પીપળો અને વડલાએ વાતાવરણમાં મહત્તમ ઓક્સિજન પૂરું પાડે છે. પીપળા અને વડના બીજના વૃક્ષો બજારમાં વેચાતા નહીં મળે. પણ એવું જોવામાં આવ્યું છે કે કાગડાઓ આ વૃક્ષ પર બેસી, ફળ ખાઈ જે વિષ્ટા કરે તેમાં આ વૃક્ષના અપચિત બીજ જમીનમાં ભળી જઈ નવા વૃક્ષો ઉગાડે છે. આથી કાગડાઓ પર્યાવરણ માટે ખુબ ઉપયોગી જીવ છે જેથી આપણે આ જીવોનો ઉપકાર ચૂકવવા તેમને દૂધપાક ખવડાવીએ છીએ.

આહારશાસ્ત્રની દ્રષ્ટિએ દૂધપાક

દરેક દ્રષ્ટિકોણમાં સંતુષ્ટિ મુખ્ય છે. દૂધ એ પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. વળી ચોખા અને ખાંડ સુપાચ્ય શર્કરા ધરાવતું હોય એનર્જીથી ભરપૂર છે. દૂધ અને ચોખાના મિશ્રણમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ અને વિટામિન બી ઉપલબ્ધ છે.
આખા શ્રાદ્ધ દરમિયાન એકાદ વાડકી દૂધપાક ખવાય તો વાંધો નહિ પણ ડાયાબિટીસના દર્દીઓ, સ્થૂળ વ્યક્તિઓએ તેનાથી પરહેજી પાળવી જોઈએ. જો વધારે દૂધપાક ખવાઈ જાય તો 1 કલાક ચાલવું, 43 મિનિટ જોગિંગ કરવું, 57 મિનિટ સાઈકલિંગ કરવું, 50 મિનિટ સ્વિમિંગ કરવું. ટૂંકમાં શરીરને નુકશાન ન થાય તે ધ્યાનમાં રાખીને ધાર્મિક પરંપરાનું પાલન કરવું ખોટું નથી.

કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર