Vidur Niti: Think good thoughts.

વિદુર નીતિ vidur niti. ના આ 108 નિયમો ગાંઠે બાંધી લો ક્યારેય દુઃખી નહી થાવ

નમસ્કાર. વિદુર નીતિના આ તમને સંપૂર્ણ વિદુર નીતિ અહીંયા સમજાવેલ છે. જીવનમાં વિદુર નીતિ ના નિયમો જાણવાથી, તેનો અમલ કરવાથી સુખી થવાય છે. તો જાણો વિદુર નીતિના 108 નિયમ

Vidur Niti

  • જેનું ચારિત્ર્ય સારૂં છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે.
  • છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી. છે.
  • જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન
  • . જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે.
  • સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો.
  • વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે.
  • સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ.
  • બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે.
  • ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી.
  • અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ.

Chanakya Niti : Chanakya Niti Rules. And Good Thoughts

  • રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ.
  • રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર- આ સાત સાથે નાણાંની લેવડ- દેવડ કરવી નહિ.
  • . આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ.
  • તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે.
  • રાજા, વિદ્વાન, વૃદ્ધ, બાળક, રોગીષ્ઠ, અપંગ અને મા-બાપ – આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે.

વિદુરજી ના વિચારો

ALSO READ :: મંગલ મૂર્તિ ની આરાધના નું વિરલ પર્વ એટલે ગણેશ ચતુર્થી

  • ધીરજ, પુરુષાર્થ, પવિત્રતા, દયા, મઘુરવાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર – આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે.
  • જે ધનવાન છે, પણ ગુણવાન નથી. તેની સોબત કદી ન કરવી.
  • સતત પુરુષાર્થ કરનારને જ બધાં પ્રારબ્ધ સતત સાથ આપે છે.
  • અહીં ‘સીધાં’ માણસને જ બધાં હેરાન કરે છે – માટે બહુ સરળ ન થવું.
  • જે થવાનું હતું, તે થઈ ગયું’ – તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો
img 20230223 045953
  • પ્રેમ બધાં ઉપર રાખો. પણ વિશ્વાસ કદી નહિ.
  • જે કદી પણ ક્રોધ કરતો જ નથી, તે પુરુષ યોગી છે.
  • આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહિ.
  • ધર્મનું આચરણ કરી, નીતિપૂર્વક કમાણી કરવી, એ પણ એક પરમસિદ્ધિ છે.
  • ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી, એ ઘરના મર્દોની ફરજ છે.

Chanakya Niti: જો તમારે જીવનમાં સફળતા જોઈતી હોય તો આ 5 પ્રકારના મિત્રોથી દૂર રહો

img 20230223 050108
  • કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો
  • જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય, તેનાથી ચેતજો.
  • જે પોતાને પ્રતિકૂળ છે, તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ.
  • જે લોભી છે તેને આખી પૃથ્વી આપો તો પણ ઓછી જ પડવાની છે.
  • જે શાસ્ત્રોથી વિરૂદ્ધ વર્તન કરે છે, તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે.
  • દોરીથી બંધાયેલી કઠપુતળીની જેમ, જીવ દૈવને બંધાયેલો પરવશ છે
img 20230223 050203
  • ક્રોધ શરીરના સૌંદર્યને નાશ કરે છે.
  • પરિવારને મૂકી, જે એકલો મિષ્ટાન્ન આરોગે છે, તેનું પતન નિશ્ચિત છે.
  • જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહિ
  • જે વાદવિવાદ નથી કરતાં, તે સંવાદમાં જીતી જાય છે.
  • ઋષિનું કુળ અને નદીનું મુળ જાણવા પ્રયત્નો કરવા નહિ.

વિદુરજી ના સુવિચારો

img 20230223 050306
  • જે ભૂખ વગર ખાય છે, તે વહેલો મરે છે.
  • . દુર્જનોનું બળ હિંસા છે.
  • . મઘુરવાણી ઔષધ છે, કટુવાણી રોગ છે.
  • . બધા તીર્થોની કરેલી યાત્રા કરતાં, જીવદયા ચડિયાતી છે.
  • પોતાના ઉપયોગ માટે મેળવેલ અનાજ, દહીં, મીઠું, મધ, તેલ, ઘી, તલ, કંદમૂળ, શાકભાજી, લાલ વસ્ત્રો અને ગોળ – આ ૧૧ વસ્તુઓ કોઈને વેચવી નહિ.
  • . સાપ, રાજા, શત્રુ, ભોગી, લેણદાર, સ્ત્રી અને પોતાનું શરીર – આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહિ.
img 20230223 051753
  • સ્નાન કરવાથી રૂપ, બળ, સ્વર, શોભા, સ્વચ્છતાના લાભ પ્રાપ્ત થાય છે.
  • જે સેવક આજ્ઞાનું પાલન કરવાને બદલે, વ્યર્થ દલીલબાજી કરતો હોય, તેને વિના વિલંબે પાણીચું આપી દેવું જોઈએ.
  • જે માણસ જેવો વ્યવહાર કરે છે, તેવો જ વ્યવહાર તેની સાથે કરવો.
  • . હણે તેને હણવામાં પાપ નથી.
  • . કોઈની વગર કારણે નિંદા કરવી, કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી
  • ઉચ્ચારવી – આ ત્રણ દુર્ગુણ, દુઃખ વધારે છે.
img 20230223 051558
  • જ્યાં અતિથિનો આવકાર થાય છે, જે પરિવારમાં મઘુર સંવાદ થાય છે, સંતોષકારક ભોજન થાય
  • છે, તેમજ સેવા થાય છે ત્યાં સદાકાળ લક્ષ્મી છે.
  • જ્ઞાનથી અભય, તપથી ગૌરવ, ગુરુસેવાથી જ્ઞાન અને યોગથી શાંતિ મળે છે.
  • દિવસે એવુંને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય.
  • જે સભામાં વૃદ્ધ નથી, તે સભા નથી; જે ધાર્મિક નથી, તે જ્ઞાનવૃદ્ધ નથી અને જેમાં સત્ય નથી, તેમાં કોઈ ધર્મ નથી.
img 20230223 051515
  • નાશ પામેલી કોઈપણ વસ્તુનો કોઈ શોક નથી કરતાં, તે પંડિત છે. ૫૩. માણસને જે વહાલું હોય છે, તેના અવગુણ દેખાતા નથી અને જે અળખામણું હોય છે, તેના સદગુણો દેખાતા નથી.
  • . પર્વતની ટોચ ઉપર, ઘરમાં, એકાન્ત સ્થળે, નિર્જનસ્થાન કે વનમાં, નદી કે સમુદ્ર કિનારે, કોઈ ધર્મસ્થાનમાં, જ્યારે સમય મળે ત્યારે બેસી આત્મમંથન કરવું.
  • . કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ.
  • પર્વતની ટોચ ઉપર, ઘરમાં, એકાન્ત સ્થળે, નિર્જનસ્થાન કે વનમાં, નદી કે સમુદ્ર કિનારે, કોઈ ધર્મસ્થાનમાં, જ્યારે સમય મળે ત્યારે બેસી આત્મમંથન કરવું
img 20230223 051428
  • કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ.
  • . જે વૃક્ષ ઉપર ફળફૂલ બેસતાં નથી, તેનો પક્ષીઓ ત્યાગ કરી દે છે. તેમ મરેલાં માણસનો સગાવહાલાં તુરંત જ ત્યાગ કરી દે છે.
  • જે ભાગ્યમાં લખેલું છે, તે ક્યારેય મિથ્યા થતું નથી.
  • જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો.
  • કારણ વગર જ બીજાના દોષો જોવા- કહેવા એ મહામૂર્ખતા છે.
img 20230223 050555
  • દૂધ, ફળ, દવા, પાણી, કંદમૂળ, કોઈપણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રતભંગ થતો
  • માતા-પિતા, પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયુષ્ય, વિધા, યશ વધે છે.
  • શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી જ સંજોગો સુધરવાનું શરૂ થઈ જાય છે.
  • કોઈપણ પ્રયોજન વગર, કોઈ પણ પ્રવાસ કરવો નહિ
  • જે પોતાનાં વખાણ (આત્મશ્લાધા) જ કરે છે, તે બધે અળખામણો બને છે.
  • . જીવનમાં જે માત્ર થોડાં લાભથી જ સંતુષ્ટ થઈ જાય છે, તે મહામૂર્ખ છે.
img 20230223 050409 (1)
  • કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુર્ત ત્યાગ કરી દેવો ગામનું ભલું થતું હોય
  • તો પરિવારનો, દેશનું ભલું થતું હોય તો ગામનો અને આત્માની જો મુક્તિ થતી હોય તો પૃથ્વીનું રાજ પણ છોડી દેવું.
  • . જે ઘેરથી અતિથિ નારાજ-નિરાશ થઈ જાય છે, તે ઘરનું પુણ્ય નાશ પામે છે.
img 20230223 050306
  • ક્રોધને શાંતિથી, દુર્જનને સૌજન્યથી, કંજૂસને દાનથી, અસત્યને સત્યથી, મા-બાપને સેવાથી, પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવાં.
  • જેમ ઉચ્ચ કુળમાં જન્મેલ નીચ બની શકે છે, તેમ નીચ કુળનો ઉચ્ચ બને છે.
  • . જે અન્ન સારી રીતે પચી જતું હોય, તે જ માણસે ગ્રહણ કરવું.
  • કાચાં ફળ તોડી લેનાર, ફળની અસલ મીઠાશ માણી શકતો નથી.
  • નપુસંકને જેમ કોઈ સ્ત્રી પ્રેમ કરતી નથી, તે રીતે જે રાજા કે સ્વામી કે માલિકની કૃપા અને ક્રોધ
  • જો વાંઝિયો હોય તો તેનો બધાં જ ત્યાગ કરે છે.
  • . જે ધાતુ તપાવ્યા વિના જ વળી જાય છે, તે ધાતુને તપવું પડતું નથી. જેને કકડીને ભૂખ લાગે છે, તેને રોટલો । મિષ્ટાન્ન છે. પરંતુ જેને ભૂખ જ લાગતી નથી, તેના માટે મિષ્ટાન પણ વ્યર્થ છે
  • કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જેનો કાબૂ નથી, તે શ્રેષ્ઠ ‘ગુલામ’ છે. ૭૬. સત્યથી ધર્મનું, સતત અભ્યાસથી વિધાનું, સાદગી અને સુઘડતાથી સૌંદર્યનું અને સદગુણોથી કુળનું રક્ષણ થાય છે.
  • અધર્મથી હજુ સુધી કોઈને સિદ્ધિ મળ્યાનું સાંભળ્યું નથી.
  • શાન્તિ માટે ક્ષમા, સુખ માટે સમાધાન, કલ્યાણ માટે ધર્મ શ્રેષ્ઠ ઉપાય છે.
  • કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ નર્કનાં દ્વાર છે.
  • સત્ય, દયા, તપ, અહિંસા, અચૌર્ય અને અપરિગ્રહ એ સ્વર્ગના દ્વાર છે.
  • નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળિયો, બીકણ, આળસુ અને બહુ
  • બોલનારનો કયારેય સંગ ના કરવો
  • . હમેશાં પ્રસંગને અનુરૂપ પહેરવેશ ધારણ કરવો.
  • . જેવો પ્રશ્ન હોય, તેવો જ જવાબ આપો
  • .. જે બીજાના સુખે સુખી થાય છે, તે સજ્જન છે. પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે, તે સંત છે.
  • . જે શુભ કાર્યોમાં પોતાનાથી ચડિયાતાને આગળ રાખે છે, તે સફળ થાય છે.
  • સમય આવ્યે જે શત્રુને પણ મદદ કરે છે, તેને ત્યાં અનર્થો આવતા નથી.
  • . બધાં તહેવારોમાં શક્તિ મુજબ જે પરિવારનું ઘ્યાન રાખે છે તે સુખી છે.
  • . જેમ અગ્નિ ઈંધણથી સંતુષ્ટ નથી, તેમ કામી પુરુષ સ્ત્રીઓથી ધરાતો નથી.
  • . વિધાર્થીને સુખ । ક્યાંથી અને સુખાર્થીને વિધા ક્યાંથી ?
  • . ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે.
  • . જે ગાય સહેલાઈથી દોહવા દેતી નથી, તેને બહુ માર ખાવો પડે છે.
  • ફૂલમાંથી જે રીતે ભ્રમર મધ લે છે, રાજાએ એ રીતે પ્રજા પાસેથી કર લેવો.
  • રાજનીતિમાં ધર્મ જરૂરી છે, પણ ધર્મમાં રાજનીતિની જરૂર નથી
  • પોતાનું જરૂરી કામ પડતું મૂકી, બીજાનું કામ કરવા દોડી જાય, તે મહામૂર્ખ છે.
  • કોઈપણ પ્રસંગમાં આમંત્રણ વગર જે દોડી જાય છે, તે અપમાનિત થાય છે.
  • દૂરદર્શિતા, કુલીનતા, ઈન્દ્રિયનિગ્રહ, સ્વાઘ્યાય, પરાક્રમ, મિતભાષણ, દાન અને કૃતજ્ઞતા – આ મનુષ્યને યશસ્વી બનાવે છે.
  • આઠ ગુણો
  • . આળસ, માદક દ્રવ્યોનું સેવન, વાતોડિયો સ્વભાવ, પરિવારની માયા, ધગશનો અભાવ, લાલચ, ચંચળતા અને અહંકાર – આ આઠ દુર્ગુણો હોય ત્યાં ક્યારેય વિધા કે વિધાર્થીનો વિકાસ થતો નથી.
  • જે આસ્તિક છે, તે પંડિત છે.
  • ન ગમાડવા જેવા લોકોને ગમાડે છે, ગમાડવા જેવાનો ત્યાગ કરે છે, તે મૂર્ખ છે.
  • જે દુર્જનનો આદર સત્કાર કરતો નથી, તેને યશ અને મહત્તા મળે છે.
  • . ધન, પુત્ર, સદગુણી પત્ની, આજ્ઞાંકિત પુત્ર, નિરોગી શરીર અને વિધા – સુખ આપે છે.
  • સુપાત્રને દાન આપવું, એ ધનની પ્રતિષ્ઠા છે.
  • બધાં જ ‘ઘા’ની દવા છે, પણ કટુવાણીના ‘ઘા’ની કોઈ દવા નથી.
  • બુદ્ધિથી પાર પડાતાં કાર્યો શ્રેષ્ઠ, બળથી મઘ્યમ અને કપટથી અધમ હોય છે
  • . બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં સાચું બોલવું શ્રેષ્ઠ છે.
  • .એકલું અટૂલું ઊગેલું સુદ્દઢ મૂળવાળું વૃક્ષ પણ ઊખડે છે, તેવું માણસનું પણ છે.
  • .યાન, વિગ્રહ, આક્રમણ, આસન, સંધિ, શત્રુતા, સમાશ્રય એ રાજનીતિ છે
  • . જે તદ્દન નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે, તેને અનાયાસે અપાર સુખ મળે છે…

Do you know the 64 yogini? know jogini

do you know the 64 yogini know jogini

અહીંયા તન્વી પટેલે કુલ 64 જોગણી ના નામ રજૂ કર્યા છે. 64 જોગણી માતાઓના નામ છે. અને આ અંતર્ગત ભારતમાં 64 જોગણી ના શ્લોક પણ છે. મંત્ર પણ છેલ્લે રજૂ કરેલ છે. એટલે આ ધાર્મિક આર્ટિકલ દમદાર બન્યું છે.

yogini ( ચોસઠ યોગીની) yogini ( ચોસઠ યોગીની)

Chanakya Niti : Chanakya Niti Rules. And Good Thoughts

  • 1.બહુરૂપ,
  • 2.તારા,
  • 3.નર્મદા,
  • 4.યમુના,
  • 5.શાંતિ,
  • 6.વરુણી,
  • 7.ક્ષેમાંકરી,
  • 8.અંદ્રી,
  • 9.વારાહી,
  • 10.રણવીરા,
  • 11.વનાર-મુખી,
  • 12.વૈષ્ણવી,
  • 13 .કાલરાત્રિ,
  • 14.વૈદ્યરૂપ,
  • 15.ચાર્ચિકા,
  • 16.બેટલી,
  • 17.ચિન્નામસ્તિકા,
  • 18.વૃષવાહન,
  • 19.જ્વાલા કામિની,
  • 20.ઘાટવાર,
  • 21.કરકાલી,
  • 22.સરસ્વતી,
  • 23.બિરુપા,
  • ભાલુકા,
  • નરસિંહી,
  • બિરજા,
  • વિકટન્ના,
  • મહાલક્ષ્મી,
  • કૌમરી,
  • મહામાયા,
  • રતિ,

Ganesh chaturthi 2025

  • કરકરી,
  • સર્પશ્ય,
  • યક્ષિની,
  • વિનાયકી,
  • વિનાયકી,
  • 37.વિંધ્યાવાસિની
  • વીર કુમારી,
  • મહેશ્વરી,
  • અંબિકા,
  • કામિની,
  • ઘાટબારી,
  • સ્તુતિ,
  • કાલી,
  • ઉમા,
  • નારાયણી,
  • સમુદ્ર,
  • બ્રાહ્મણી,
  • જ્વાલા મુખી ,
  • અગ્નિ,
  • અદિતિ,
  • ચંદ્રકાંતિ,
  • વાયુવેગા,
  • ચામુંડા,
  • મૂર્તિ,
  • ગંગા,
  • ધૂમાવતી,
  • ગાંધાર,
  • સર્વ મંગલા,
  • અજિતા, 61સૂર્યપુત્રી
  • વાયુ વીણા,
  • અઘોર અને
  • ભદ્રકાલી.

ALSO READ :: મંગલ મૂર્તિ ની આરાધના નું વિરલ પર્વ એટલે ગણેશ ચતુર્થી

yogini ( ચોસઠ યોગીની) શ્લોક

देवा में देवी बड़ी, और बड़ी जगदम्बे माय,

लज्जा मोरी राखियो, कीजो म्हारी सहाय,

कीजो म्हारी सहाय, शरण में आया तेरी,

जगदम्बे महारानी माँ, लाज रख दीजो म्हारी,

देवलिये रमजाय म्हारे, आंगणिये रमजाय,

चौसठ जोगणी रे भवानी, देवलिये रमजाय,


घूमर घालणि रे भवानी, देवलिये रमजाय,

हंस सवारी कर मोरी मैया, ब्रम्हा रूप बणायो,

ब्रम्हा रूप बणायो नवदुर्गा, ब्रम्हा रूप बणायो,

चार वेद मुख चार बिराजे, चारा रो जस गायो,


घूमर घालनी रे भवानी, देवलिये रमजाय,

गरुड़ सवारी कर मेरी मैया, विष्णु रूप बणायो,

विष्णु रूप बणायो नवदुर्गा, विष्णु रूप बणायो,

गदा पदम संग चक्र बिराजे, मधुबन रास रचायो,

घूमर घालनी रे भवानी, देवलिये रमजाय,

नंदी सवारी कर मेरी मैया, शक्ति रूप बणायो,


शक्ति रूप बणायो नवदुर्गा, शक्ति रूप बणायो,

जटा मुकुट मै गंगा खळके, शेष नाग लीपटायो,

घूमर घालनी रे भवानी, देवलिये रमजाय,

सिंघ सवारी कर मेरी मैया, शक्ति रूप बणायो,

शक्ति रूप बणायो नवदुर्गा, शक्ति रूप बणायो,

सियाराम तेरी करे स्तुति, भक्त मंडल जस गायो,

घूमर घालनी रे भवानी, देवलिये रमजाय,

Ganesh chaturthi 2025

ganesh chaturthi 2025

સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવારોમાંનો એક ગણેશ ચતુર્થી છે, જે ખૂબ જ ભવ્યતા અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર આવે છે અને આ ઉજવણી અનંત ચતુર્દશી સુધી ચાલે છે. આ તહેવારનું બીજું નામ ગણેશોત્સવ છે, જે ખૂબ જ ખુશી અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને નસીબ, સંપત્તિ અને જ્ઞાનના દેવતા તરીકે પૂજનીય માનવામાં આવે છે. તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા એવા રાજ્યો છે જ્યાં ગણેશ ચતુર્થીની સૌથી વધુ ઉજવણી કરવામાં આવે છે.

૨૬ કે ૨૭ ઓગસ્ટે ગણેશ ઉત્સવ ક્યારે શરૂ થશે, અહીં તમારી મૂંઝવણ દૂર કરો. આ વખતે ગણેશ વિસર્જન ૬ સપ્ટેમ્બર ૨૦૨૫, અનંત ચતુર્દશીના દિવસે, શનિવારે કરવામાં આવશે.

ગણેશ ચતુર્થી તિથિ ૨૦૨૫: દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ઉત્સવ શરૂ થાય છે. આ ઉત્સવ ૧૦ દિવસ સુધી ચાલે છે, જેમાં ભક્તો ગણપતિ બાપ્પાને તેમના ઘરે લાવે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે. વિવિધ સ્થળોએ ગણપતિ બાપ્પાના પંડાલો પણ શણગારવામાં આવે છે. જેમાં સવાર-સાંજ પૂજા આરતી અને ભજન કીર્તન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ વર્ષે ગણપતિ ઉત્સવ કયા દિવસથી શરૂ થઈ રહ્યો છે, આગળ લેખમાં..

वक्रतुण्ड महाकाय
सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव
सर्वकार्येषु सर्वदा ॥

ગણેશ ચતુર્થી 2025 ક્યારે છે?

ગણેશ ચતુર્થી ૨૦૨૫ તારીખ અને પૂજા મુહૂર્ત

દ્રિક પંચાંગ મુજબ, ૨૦૨૫ માં ગણેશ ચતુર્થી ૨૭ ઓગસ્ટથી શરૂ થશે. ગણેશ ચતુર્થી પૂજા કરવા માટેનો સૌથી શુભ સમય મધ્યાહન મુહૂર્ત છે, જે ભગવાન ગણેશના જન્મના ચોક્કસ સમયનું પ્રતીક છે.

ગણેશ પૂજા મુહૂર્ત: સવારે ૧૧:૦૫ થી બપોરે ૧:૪૦ (૨ કલાક ૩૫ મિનિટ)
શુક્લ યોગ (શુભ કાળ): બપોરે ૧૨:૩૫ થી ૧:૧૮

રાહુકાલ (અશુભ કાળ): બપોરે ૧૨:૨૨ થી ૧:૫૯

Ganesh Chaturthi
August 27, 2025
Ganesh VisarjanSeptember 6, 2025
Madhyahna Puja Muhurat11:05 AM to 1:29 PM on August 27
Chaturthi Tithi Begins1:54 PM on August 26
Chaturthi Tithi Ends3:44 PM on August 27

ગણેશ ચતુર્થી પંચાંગ 2025 – ગણેશ ચતુર્થી પંચાંગ 2025

💥આ દિવસ સૂર્યોદય સવારે 05 બજકર 57 મિનિટ પર થશે.

👉આ દિવસ સૂર્યાસ્ત સાંજે 06 બજકર 48 મિનિટ પર થશે.

💥આ દિવસ ચંદ્રોદય સવારે 09 બજકર 28 મિનિટ પર થશે.

👉આ દિવસ ચંદ્રસ્તમાં 08 બજકર 56 મિનિટ થશે.

💥આ દિવસ બ્રહ્મ મુહૂર્ત સવારે 04 બજકર 28 મિનિટથી 05 બજકર 12 મિનિટ સુધી.

👉આ દિવસ વિજય મુહૂર્ત બપોરે 02 બજકર 31 મિનિટથી 03 બજકર 22 મિનિટ હશે.

💥આ દિવસ गोधूलि मुहूर्त शाम 06 બજકર 48 મિનિટ થી 07 બજકર 10 મિનિટ સુધી.

👉આ દિવસ નિશિતા મુહૂર્ત રાત્રે 12 વાગ્યા 12 બજકર 45 મિનિટ સુધી.

ગણેશ ચતુર્થી પૂજાનો શુભ મુહૂર્ત 2025

૨૭ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ બપોરે ગણેશ પૂજા માટે શુભ સમય સવારે ૧૧:૦૫ થી ૦૧:૪૦ વાગ્યા સુધીનો છે. આ સમય દરમિયાન, તમે યોગ્ય વિધિઓ સાથે પંડાલમાં મૂર્તિ સ્થાપિત કરી શકો છો.

Bol choth Katha

બોળચોથ પછીના બીજા દિવસે નાગપાંચમ આવે છે, તે પછી રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળ ચોથથી થાય છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો મેળો ભરાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથની વાર્તા સાંભળે છે. સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી, કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉ દળતી પણ નથી. તેમજ શાકભાજી પણ સુધારતી નથી, ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.

શું છે બોળચોથ કથા ?

👉Janmashtami Special WhatsApp DP ,ABCD alphabets, Janmashtami whatsapp status ABCD 2025click here
💥શ્રાવણ માસમાં ભક્તો માટે ભેટ: સંપૂર્ણ શિવ મહાપુરાણ ફ્રી એપિસોડ્સclick here
👉હનુમાનજી અને કાર્યક્ષમ કામગીરીclick here

પૌરાણિક કથા

પૌરાણિક ગ્રંથો અનુસાર, કામધેનુ ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે ‘બહુલાના રૂપમાં નંદની ગોશાળામાં પ્રવેશી હતી. કૃષ્ણજીને આ ગાય ખૂબ પસંદ હતી, તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા. બહુલા પાસે એક વાછરડું પણ હતું, એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ, ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ. સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ડરી ગઈ, અને તે ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી. સિંહ તેની તરફ આગળ વધ્યો, બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે, તે તેને ખવડાવીને પાછી આવશે, પછી તે તેને પોતાનો શિકાર બનાવશે.સિંહે કહ્યું હું તારી વાત કેવી રીતે માની શકું? પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે, અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે, જે બહુલાની પરીક્ષા કરવા આવે છે. શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે, અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે.

whatsapp image 2025 08 12 at 08.50.49 b879e79d

જાણો ગણેશજી ની કથાઓ || Ganesh Katha – ગણેશજીની પૌરાણિક કથાઓ

જાણો ગણેશજી ની કથાઓ ganesh katha ગણેશજીની પૌરાણિક કથાઓ

 શ્રી ગણેશ કથા 1 

પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા. તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા, તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા. જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ગણેશનું માથું કાપી નાખ્યું. એટલામાં માતા પાર્વતી ત્યાં આવી ગયા.

માતા પાર્વતીએ શિવને કહ્યું કે આ આપણો પુત્ર ગણેશ છે. તમે તેમને પુનર્જીવિત કરો. ત્યારે શિવે ગણેશજીને ગજાનન મુખ આપીને પોતાનું જીવન દાન કર્યું. બધા દેવતાઓ તેને પુનઃ જીવન પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપી રહ્યા હતા. તો ત્યાં હાજર ચંદ્રદેવ ઊભા થઈને હસતા હતા. ત્યારે ગણેશ સમજી ગયા કે આ ચંદ્રદેવ તેમના ગજાનન મુખ પર હસી રહ્યા છે. ત્યારે ગણેશજીએ ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ કાળા થઈ જશો. ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્ર દેવતા કાળો થઈ ગયા.

ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માંગી. ત્યારે ગણપતિએ કહ્યું કે હવે તમે આખા મહિનામાં માત્ર એક જ વાર તમારી સંપૂર્ણ કળામાં દેખાશો હશો. આ કારણથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કળાઓમાં દેખાય છે.

શ્રી ગણેશ કથા 2 

એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા.  રસ્તામાં ચંદ્રલોક આતાં ચંદ્રએ ગણપતિને જોયા. ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા.

આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા,” ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે, એની ના નથી. પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય. આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલેચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે. ” 

આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા. બે બીકના માર્યા કમળમાં છૂપાઈ ગયા. ચારેકોર અંઘકાર છવાતા હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા.

બ્રહ્માજી બોલ્યા કે “ગણપતિનો શ્રાપ કદિ મિથ્યા જતો નથી. છતાં પણ હું તમને એના નિવારણનો ઉપય બતાવું છું. સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈપણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી. પછી વિધિવત તેની પૂજા કરવી. નૈવેધમાં લાડુ ધરાવવો. સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન-દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે.”

ભાદવવો મહિના બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણશ ચોથનું વ્રત કરવા માંડ્યું. ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાવ અને ક્ષમા કરો. હવે આવી ભૂલ નહીં કરું. તમે દયાળું છો, કૃપા કીને મને શ્રાપમાંથી મુક્ત કરો. 

ગણપતિ ચંદ્રની ભક્તિથી ખૂથ થયા. તેને દર્શન આપી બોલ્યો, “ચંદ્ર તુ સંપૂર્ણ શ્રાપમૂક્ત તો નહીં થઈ શકે. છતા હું તારા વ્રતથી ખૂશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું. જો કોઈપણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી, પછી ચોથનાં દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે. પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ  તેને સંકટમાંથી મુક્ત કરીશ.” હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો.

શ્રી ગણેશ કથા 3 

એક દિવસ પરાશર ઋષિની નજર પોતના આશ્રમની બહાર ફરતા કઢંગા રૂપવાળા ખિલખિલાટ હસતાં નિર્દોષ બાળક પર પડી. એ બાળકનાં ચાર હાથ હતા, હાથી જેવુ મોઢું હતુ અને મોટું પેટ હતું. તેમણે તેના પગમાં, હાથમાં, લલાટમાં દિવ્ય ચિન્હો જોયાં. ઋષિ પરાશર આવા અદભૂત બાળક્ને પોતનાં આશ્રમમાં લઈ આવ્યાં.

આશ્રમમાં પરાશર ઋષિ અને તેમનાં પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજી પૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યાં. આમ ગજાનન વિદ્યા અને કળામાં નિપૂણ થતાં ગયાં ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની. એક મોટોમસ ઉંદર આવી ચઢ્યો અને તેના6 માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો. જંગલનાં દરેક પશુ-પ્રાણી તેનાંથી ડરતાં હતાં. ગજાનન રમતાં રમતાં આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટોમસ ઉંદર એક મોટા દરમાં છૂપાઈ ગયો.

ગજાનને જરાયે ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાળિયો બનાવી ઉંદરનાં ગળામાં પહેરાવી તેને પકડી લીધો. અને તેને વશમાં કરી લીધો. અને ગજાનને ઉંદરને વાહન બનાવી દીધો..

બીજા મતે જોઈયે તો મૂષક એટલે ઉંદર એ અંધકારનું પ્રતિક છે અને દિવસ કરતાં રાતનાં વધુ ઉત્પાત મચાવતો હોય છે. ક્યાંય પણ ઘૂસીને એ નૂકશાન કરે છે. ગણેશ એ સૂર્ય છે અને સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશની મૂષક પર સવારી. 

સંકટચતુર્થીની કથા

સંકટ ચતુર્થી વિશે પુરાણોમાં ઘણી વાર્તાઓ પ્રચલિત છે. સૌથી પ્રચલિત અને પૌરાણિક કથા અનુસાર, એકવાર દેવતાઓ પર સંકટ આવ્યુ. પછી તેઓ મદદ માટે ભગવાન શિવ પાસે ગયા. તે સમયે ગણેશ અને કાર્તિકેય બંને ભગવાન શિવની સાથે બેઠા હતા. શિવજીએ કાર્તિકેય અને ગણેશજીને પૂછ્યુ કે દેવતાઓની સમસ્યાઓનુ નિરાકરણ કોણ કરશે, આના પર બંનેએ સ્વયંને સક્ષમ ગણાવીને સંકટનુ નિવારણ કરવાની વાત કહી. આના પર ભગવાન શિવે બંનેની પરીક્ષા કરવાનું નક્કી કર્યુ અને કહ્યુ કે જે પૃથ્વીની પરિક્રમા કર્યા પછી પ્રથમ આવશે તે દેવતાઓની મદદ કરવા જશે.

બધા સંકટ થશે દૂર

પિતા શિવનો આદેશ સાંભળીને કાર્તિકેય પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા. પરંતુ ગણેશજીએ એક યુક્તિ વાપરી અને પોતાના માતા-પિતાની સાત પરિક્રમા કરીને પાછા પોતાના સ્થાને બેસી ગયા. આના પર શિવજી પ્રસન્ન થયા અને ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો. સાથે જ કહ્યુ કે જે વ્યક્તિ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.